PM મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજારથી વધુ યુવાનોને સોંપશે નિમણૂક પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નવી ભરતી માટે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ સોંપશે.

New Update
પીએમ modi live

પીએમ modi live

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નવી ભરતી માટે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ સોંપશે. વડાપ્રધાન આ પ્રસંગે લોકોને સંબોધિત પણ કરશે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, રોજગાર મેળો વડાપ્રધાનની રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે.

વડાપ્રધાન મોદી સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રોજગાર મેળો યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને સ્વ-સશક્તિકરણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે. દેશભરમાં 45 સ્થળોએ તેનું આયોજન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના જે મંત્રાલયો અને વિભાગો માટે આ નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નાણાકીય સેવાઓ વિભાગનો સમાવેશ થાય છે.

ગ્રામીણ વસ્તીવાળા વિસ્તારોમાં મિલકતોનું ડ્રોન સર્વે કરીને સરકાર ગ્રામજનોને તેમની મિલકતોના માલિકી કાર્ડ આપી રહી છે. વર્ષ 2020માં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ હવે મોટી સંખ્યામાં માલિકીના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બરે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આવી 57 લાખ મિલકતોના કાર્ડનું વિતરણ કરશે.

તે યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. પંચાયતી રાજ મંત્રાલયે સ્વામિત્વ યોજના હેઠળ છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના 46,351 ગામોની 57 લાખ મિલકતોના કાર્ડ બનાવ્યા છે.