કર્ણાટકની ચૂંટણીમાં PM મોદીનો ઝંઝાવતી પ્રચાર,6 દિવસમાં કરશે 12થી 15 રેલી

New Update
કર્ણાટકની ચૂંટણીમાં PM મોદીનો ઝંઝાવતી પ્રચાર,6 દિવસમાં કરશે 12થી 15 રેલી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે 29 એપ્રિલે રાજ્યની મુલાકાત લેશે. તેઓ છ દિવસમાં 12 થી 15 જાહેર સભાઓ/રેલીઓ અને રોડ શો કરશે. પીએમ મોદી 28 એપ્રિલ, 29 એપ્રિલ, 3, 4, 6 અને 7 મેના રોજ પ્રચાર કરશે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના જણાવ્યા અનુસાર પીએમ મોદી પોતાના પ્રચારની શરૂઆત બેલગાવીથી કરશે. તેઓ કર્ણાટકના સૌથી મોટા જિલ્લાઓમાંના એક બેલગાવીમાં ચિકોડી, કિત્તુર અને કુડાચીની મુલાકાત લેશે. વડાપ્રધાન ઉત્તર કન્નડ જિલ્લાની પણ મુલાકાત લેશે. કર્ણાટક એકમાત્ર દક્ષિણનું રાજ્ય છે જ્યાં ભાજપ સત્તામાં છે.

Latest Stories