મુંબઈના બાંદ્રામાં શનિવારે રાત્રે NCP અજીત પાવર જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ ઘટનાને કારણે રાજ્યના રાજકારણ અને બોલિવૂડમાં આઘાતનો માહોલ છે.આજે રવિવારે બાબા સિદ્દીકીની નમાઝ-એ-જનાઝા વિધિ કરવામાં આવશે.અને મરીન લાઇન્સ સ્ટેશનની સામે આવેલા બડે કબ્રસ્તાનમાં રાત્રે 8:30 કલાકે દફનવિધિ કરવામાં આવશે.
The tragic demise of Baba Siddique ji is shocking and saddening. My thoughts are with his family in this difficult time.
— Rahul Gandhi (@RahulGandhi) October 13, 2024
This horrifying incident exposes the complete collapse of law and order in Maharashtra. The government must take responsibility, and justice must prevail.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બાબા સિદ્દીકીના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, બાબા સિદ્દીકીજીનું દુઃખદ અવસાન અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં મારી ભાવના તેમના પરિવાર સાથે છે.રાહુલ ગાંધીએ આ ઘટનાને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે કહ્યું કે આ ભયાનક ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. સરકારે આની જવાબદારી લેવી જોઈએ અને ન્યાય સુનિશ્ચિત કરવો જોઈએ.