મુંબઈના બાંદ્રામાં શનિવારે રાત્રે NCP અજીત પાવર જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ ઘટનાને કારણે રાજ્યના રાજકારણ અને બોલિવૂડમાં આઘાતનો માહોલ છે.આજે રવિવારે બાબા સિદ્દીકીની નમાઝ-એ-જનાઝા વિધિ કરવામાં આવશે.અને મરીન લાઇન્સ સ્ટેશનની સામે આવેલા બડે કબ્રસ્તાનમાં રાત્રે 8:30 કલાકે દફનવિધિ કરવામાં આવશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બાબા સિદ્દીકીના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, બાબા સિદ્દીકીજીનું દુઃખદ અવસાન અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં મારી ભાવના તેમના પરિવાર સાથે છે.રાહુલ ગાંધીએ આ ઘટનાને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે કહ્યું કે આ ભયાનક ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. સરકારે આની જવાબદારી લેવી જોઈએ અને ન્યાય સુનિશ્ચિત કરવો જોઈએ.