/connect-gujarat/media/media_files/2024/12/04/EtAh1tfqCV1H4Q2K4vZA.jpg)
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પ્રધાનમંત્રી મોદીને ડાયમંડનું નવભારત રત્ન અર્પણ કર્યું છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નવભારત રત્ન’ હીરો અર્પણ કર્યો છે. કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખા હીરાની ભેટ આપી છે.
ભારતના નકશાના આકારમાં તૈયાર કરાયેલા આ કુદરતી હીરાનું નામ નવભારત રત્ન અપાયું છે. 2.120 કેરેટના કુદરતી હીરાને ભારતના નકશાનો આકાર આપવા માટે 62 કલાક જેટલો સમય લાગ્યો છે. કારીગરોએ સતત 62 કલાક સુધી ઝીણવટભર્યું કામ કરીને હીરાને તૈયાર કર્યો છે.