રામેશ્વરમ કાફે બ્લાસ્ટ : NIAએ આરોપીઓને શોધવા માટે જનતાની મદદ માટે અપીલ કરી, ફોન નંબર જાહેર કર્યો

કર્ણાટકના બેંગલુરુમાં લોકપ્રિય રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં NIAએ લોકોને મદદ માટે અપીલ કરી છે.

New Update
રામેશ્વરમ કાફે બ્લાસ્ટ : NIAએ આરોપીઓને શોધવા માટે જનતાની મદદ માટે અપીલ કરી, ફોન નંબર જાહેર કર્યો

કર્ણાટકના બેંગલુરુમાં લોકપ્રિય રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં NIAએ લોકોને મદદ માટે અપીલ કરી છે. વાસ્તવમાં તપાસ એજન્સીએ લોકોને અપીલ કરી છે કે આરોપીઓ સાથે જોડાયેલી કોઈપણ માહિતી મળે કે તરત જ તેની જાણકારી આપે. આ ઉપરાંત એજન્સીએ આરોપીની તસવીર પણ શેર કરી છે.

NIAએ લોકોને અપીલ કરી

તપાસ એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને અપીલ કરતી એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું હતું કે, "NIA #RameswaramCafeBlastCase સાથે જોડાયેલા શંકાસ્પદને ઓળખવા માટે નાગરિકોનો સહકાર માંગે છે. કોઈપણ માહિતી માટે 08029510900, 8904241100 અથવા ઈમેલ info.blr.nia@gov.in પર કૉલ કરો. તમારી ઓળખ ગુપ્ત રહેશે."

આરોપીનો વીડિયો શેર કર્યો છે

તપાસ એજન્સી દ્વારા એક્સ પર બ્લાસ્ટના આરોપીઓના બે વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે. વીડિયોમાં આરોપી બસ સ્ટેન્ડ પર જોવા મળી રહ્યો છે. જ્યારે બીજો વીડિયો એ બસનો છે જેમાં આરોપીઓ સવાર હતા. વીડિયોની સાથે, તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલો પહેલો નંબર 0802 9510 900 અને બીજો નંબર 8904 241 100 છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : મૃતકના પરિવારોને ટાટા ગ્રુપ દ્વારા રૂ. 1 કરોડની સહાયની જાહેરાત

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ.

author-image
By Connect Gujarat Desk
New Update
fire air

fire air

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ.

આ સમયે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે." 

આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા લખ્યું છે કે, "ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય પૂરી પાડશે. અમે ઘાયલોનો તબીબી ખર્ચ પણ સહન કરીશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ." 

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ANI સાથે વાત કરતા જણાવ્યું છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સીટ 11A માંથી એક વ્યક્તિ જીવિત મળી આવી છે. આ વ્યક્તિની હાલત ગંભીર હોવા છતાં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, અને ડોકટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

અગાઉ, પોલીસ કમિશનર જી.એસ. મલિકને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. પરંતુ, એએનઆઈ સાથે સાથેની વાતચીતમાં તેમણે પોતાના અગાઉના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. એક વ્યક્તિ હજુ પણ જીવિત છે, તેની સારવાર ચાલી રહી છે."

વિમાનમાં સવાર 242 લોકોમાંથી 169 ભારતીય, 7 પોર્ટુગીઝ, 53 બ્રિટિશ અને એક કેનેડિયન નાગરિક હતા. આ અકસ્માત અમદાવાદના મેઘનાની નગર વિસ્તારમાં થયો હતો, જે એરપોર્ટથી થોડા અંતરે આવેલો છે. 

Latest Stories