ગુજરાત કોંગ્રેસના મુરતીયા માટે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકનો દોર શરૂ...

સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.

New Update
ગુજરાત કોંગ્રેસના મુરતીયા માટે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકનો દોર શરૂ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા કમર કસવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તા. 19, 20 અને 21 ઓક્ટોબર કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. જેમાં ઉમેદવારોની પહેલી યાદી પર મહોર લાગશે.

ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક દિલ્હીમાં મળશે, ત્યારે દિવાળી પછી કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે. બેથી ત્રણ તબક્કામાં યાદી જાહેર થશે. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં બેઠક મળશે.તા. 19, 20, 21 ઓક્ટોબર સ્ક્રિનિંગ કમિટી ની બેઠક દિલ્હીમાં મળશે. સ્ક્રીનિંગ કમિટી બાદ તુરંત સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળવાની છે. સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.

બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્હી જશે. મિશન-2022 માટે કોંગ્રેસ ગુજરાત ઘમરોળશે. યુવા પરિવર્તન યાત્રાની જેમ યાત્રા યોજાશે. કોંગ્રેસ ગુજરાતમાં 5 યાત્રા યોજાશે. તેની શરૂઆત અમદાવાદ સાબરમતી આશ્રમથી થશે. અલગ અલગ ઝોનમાં સિનિયર નેતાઓ યાત્રાની આગેવાની કરશે. યાત્રા દરમિયાન રોડ-શો, બાઈક રેલી, પદયાત્રા, સભા અને બેઠકો યોજાશે. કેન્દ્રીય નેતાઓ પણ આ યાત્રામાં જોડાશે. દિવાળી બાદ કોંગ્રેસ યાત્રાઓની શરૂઆત કરશે. યુવા પરિવર્તન યાત્રાની તર્જ પર કોંગ્રેસ યાત્રા યોજાશે.

Read the Next Article

પાકિસ્તાનના કરાચીમાં ફરી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકા અનુભવાયા; જાણો તેની તીવ્રતા

પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીમાં ભૂકંપ આવ્યો છે. શનિવારે અહીં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

New Update
Pakistan Earthquake

પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીમાં ભૂકંપ આવ્યો છે. શનિવારે અહીં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપને કારણે ઓછામાં ઓછા પાંચ વિસ્તારોમાં લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. લગભગ 15 દિવસ પહેલા કરાચીમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કરાચી હવામાનશાસ્ત્રી કેન્દ્રના મુખ્ય હવામાનશાસ્ત્રી આમિર હૈદરના જણાવ્યા અનુસારશનિવારે આવેલા આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપ જમીનની અંદર 38 કિલોમીટર ની ઊંડાઈએ કેન્દ્રિત હતો. હૈદરે કહ્યું કે શહેરના ઓછામાં ઓછા પાંચ વિસ્તારોમાં આ આંચકા નોંધાયા છે. તેમણે કહ્યું કે આ આંચકા લાંધી વિસ્તારમાં એક ઐતિહાસિક સિસ્મિક 'ફોલ્ટ લાઇન'માંથી સિસ્મિક ઉર્જા છોડવાના કારણે અનુભવાઈ રહ્યા છે. તેમણે કહ્યું, "જો આ ઉર્જા એકસાથે છોડવામાં આવે તો મોટો ભૂકંપ આવવાની શક્યતા છેપરંતુ શનિવારે આવું કંઈ બન્યું નથી."

અમીર હૈદરે જણાવ્યું હતું કે 1 જૂનથી કરાચીમાં ઓછામાં ઓછા 21 ઓછી તીવ્રતાના આંચકા અનુભવાયા છેજેની તીવ્રતા 2.1 થી 3.6 ની વચ્ચે રહી છે. તેમણે કહ્યું, "જેમ જેમ આ ફોલ્ટ લાઇન તેની ઉર્જા છોડશેતેમ તેમ ભૂકંપની તીવ્રતા પણ ઘટશે." હૈદરે કહ્યું કે વર્ષ 2009 માં પણ આ જ 'ફોલ્ટલાઇનસક્રિય થઈ હતીજેના કારણે શહેરમાં સતત ભૂકંપ આવતા હતાપરંતુ પછીથી તે શાંત થઈ ગયા.