RJD-JDU ગઠબંધનમાં તણાવ !નીતીશ આજે રાજ્યપાલને મળશે,મીટિંગ બપોરે 3:30 વાગ્યે થઈ શકે છે

બિહારમાં રાજકીય સંકટ છે. રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતીશ કુમારના નિવેદન બાદથી RJD અને JDU વચ્ચે તણાવ વધી ગયો છે.

New Update
RJD-JDU ગઠબંધનમાં તણાવ !નીતીશ આજે રાજ્યપાલને મળશે,મીટિંગ બપોરે 3:30 વાગ્યે થઈ શકે છે

બિહારમાં રાજકીય સંકટ છે. રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતીશ કુમારના નિવેદન બાદથી RJD અને JDU વચ્ચે તણાવ વધી ગયો છે. અહીંના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શુક્રવાર એટલે કે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે.સમાચાર છે કે સીએમ નીતીશ કુમાર બપોરે 3.30 વાગ્યે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળી શકે છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.બદલાતા રાજકીય ઘટનાક્રમને લઈને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે ગુરુવારે મોડીરાત્રે બિહાર ભાજપના નેતાઓની બેઠક યોજાઈ હતી, જે લગભગ 95 મિનિટ સુધી ચાલી હતી. પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી પર ચર્ચા થઈ, નીતીશ કુમાર પર કોઈ ચર્ચા થઈ નથી.જેપી નડ્ડા, બિહાર-ઝારખંડ ક્ષેત્રીય સંગઠનના મહાસચિવ નાગેન્દ્ર, સંગઠન મહાસચિવ ભીખુભાઈ દલસાનિયા, રાજ્યસભાના સાંસદ સુશીલ મોદી, પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવી, વિપક્ષના નેતા વિજય સિંહા આ બેઠકમાં હાજર હતા. અમિત શાહના ઘરે બેઠક પહેલા રાજ્યના પ્રભારી વિનોદ તાવડેના ઘરે 40 મિનિટની બેઠક યોજાઈ હતી.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.

Latest Stories