/connect-gujarat/media/media_files/2025/06/11/EEBFfypt0dk21xZJPzeM.jpg)
રાજૌરીના થાનમંડી ગામમાં સેનાએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. 61 રાષ્ટ્રીય રાઇફલ્સે એક સર્ચ ઓપરેશનમાં 10 UBGL ગ્રેનેડ, હથિયારો, બેટરી, ખાદ્ય પદાર્થો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે.
આતંકવાદીઓની ગતિવિધિઓનો પુરાવો છે. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે સેનાને મોટી સફળતા મળી છે. આતંકવાદી પ્રવૃત્તિના ઇનપુટ પર, 61-RR (રાષ્ટ્રીય રાઇફલ્સ) એ રાજૌરીના થાનમંડી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, આતંકવાદી માટેના આશ્રયસ્થાનનુ ઠેકાણું મળી આવ્યું, જ્યાં તપાસ કરતા ગ્રેનેડ, હથિયારો-ટોર્ચમાં ઉપયોગમાં લેવાતી બેટરી, ખાદ્ય પદાર્થો અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી છે.
આતંકવાદીઓના સંતાવવાના અડ્ડામાંથી 10 UBGL ગ્રેનેડ મળી આવ્યા છે, જે એક મોટા ઘીના ડબ્બાની અંદર છુપાવેલા હતા. ફોટો ફિલ્મ નેગેટિવનું 1 પેકેટ મળી આવ્યું છે. આ સાથે, 50 નાની બેટરી, 10 ટોર્ચ બેટરી, 3 ચમચી, 1 ટૂથબ્રશ, 2 કાંસકા, 1 પ્લાસ્ટિકની તાડપત્રી, 1 ધાબળો, 1 પ્લાસ્ટિક કેન, 1 લોખંડનો ફેવિકોલ કેન અને તૂટેલા દારૂગોળાનું 1 બોક્સ મળી આવ્યું છે.
આ સાથે, જૂના મોજા, 2 પેન, દવાઓના 2 પેકેટ, બિસ્કિટ રેપર, કાગળની વસ્તુઓ અને અન્ય સંવેદનશીલ ચીજવસ્તુઓ મળી આવી છે. આ સામગ્રી સૂચવે છે કે આ વિસ્તારનો ઉપયોગ અગાઉ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરાયો હોઈ શકે છે. હાલમાં આ જગ્યાને સીલ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળો અન્ય કોઈ પગેરુ શોધવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખે તેવી શક્યતા છે.
આતંકવાદ સામે સેનાના ઓપરેશનની સાથે, SIA (રાજ્ય તપાસ એજન્સી) એ મંગળવારે એક મોટી કાર્યવાહી કરી. નાર્કો આતંકવાદ સંબંધિત કેસની તપાસમાં, પૂંછમાં 2 ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે SIA એ ગાગરિયાં ગામમાં મોહમ્મદ જમીલ ઉર્ફે આકાશ અને આમિર સોહેલના ઘરોની તપાસ કરી હતી. અહીંથી અનેક ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે SIA જમ્મુ દ્વારા 2022 માં સરહદ પારથી દાણચોરી કરાયેલા માદક દ્રવ્યોના મોટા જથ્થાની જપ્તી બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રતિબંધિત પદાર્થ વેચીને એકઠા થયેલા પૈસાનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.