PMO પરિસરનું નામ હવે 'સેવા તીર્થ' તો દેશભરના રાજભવન હવે લોક ભવન કહેવાશે

પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું- 'સત્તાથી સેવા' તરફ આગળ વધી રહ્યા છીએ. આ બદલાવ વહીવટી નહીં, પણ સાંસ્કૃતિક છે. સાર્વજનિક સંસ્થાઓમાં મોટો બદલાવ થઈ રહ્યો છે.

New Update
seva tirth

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નું નામ બદલીને 'સેવા તીર્થ' કરી દીધું છે. વળી, દેશભરના રાજ્ય ભવનનું નામ લોક ભવન હશે. જ્યારે, કેન્દ્રીય સચિવાલયનું નામ કર્તવ્ય ભવન હશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું- 'સત્તાથી સેવા' તરફ આગળ વધી રહ્યા છીએ. આ બદલાવ વહીવટી નહીં, પણ સાંસ્કૃતિક છે. સાર્વજનિક સંસ્થાઓમાં મોટો બદલાવ થઈ રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા વર્ષે રાજ્યપાલોના સંમેલનમાં થયેલી એક ચર્ચાનો હવાલો આપતા કહ્યું કે, રાજ ભવન નામ વસાહતી માનસિકતા દર્શાવે છે. તેથી, રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોની ઓફિસોને હવે લોક ભવન અને લોક નિવાસના નામથી ઓળખવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કાર્યાલય (PMO) હવે 78 વર્ષ જૂના સાઉથ બ્લોકમાંથી બહાર નીકળીને 'સેવા તીર્થ' નામ ધરાવતા નવા એડવાન્સ કેમ્પસમાં શિફ્ટ થવા જઈ રહ્યું છે. આ બદલાવ સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજનાનો એક મોટો ભાગ છે. 14 ઓક્ટોબરે કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથન સેવા તીર્થ-2માં સેના પ્રમુખો સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી ચૂક્યા છે.

Latest Stories