/connect-gujarat/media/media_files/2024/10/28/eOnDvkwQW7J9yq8wY5QE.jpg)
દિવાળી પર્વ સાથે જ નવેમ્બર મહિનાની શરૂઆત થશે.નવેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે.જેમાં LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે, ત્યારે ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે.
નવેમ્બરની શરૂઆત થતાં જ પ્રથમ ફેરફારમાંLPG સિલિન્ડરની કિંમતમાં બદલાવ આવી શકે છે.જેમાં લાંબા સમયથી સ્થિર રહેલા14કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં આ વખતે લોકોને ઘટાડો થવાની આશા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જુલાઈ મહિનામાં19કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ તે પછી સતત ત્રણ મહિનાથી તેમાં વધારો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન એક સિલિન્ડરની કિંમતમાં94રૂપિયાનો વધારો થયો છે.1ઓક્ટોબર દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર48.50રૂપિયા મોંઘો થયો હતો.
જ્યારેATF અનેCNG-PNGના દરોમાં પણ ફેરફાર થઇ શકે છે.એક તરફ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે, તેની સાથે, CNG-PNG સિવાય, એર ટર્બાઇન ઇંધણ (ATF)ના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ ઇંધણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ વખતે પણ ભાવ ઘટાડવાની તહેવારની ભેટ અપેક્ષિત છે.આ સિવાયCNG અનેPNGની કિંમતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે.
આ ઉપરાંતSBI ક્રેડિટ કાર્ડના નિયમમાં પણ ફેરફાર થશે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પેટા કંપનીSBI કાર્ડ તેના ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ પેમેન્ટ્સ અને ફાઇનાન્સ ચાર્જિસ લાગુ પડી શકે છે.જેમાં અસુરક્ષિતSBI ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને3.75રૂપિયાનો ફાઇનાન્સ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય વીજળી, પાણી, LPG ગેસ અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં50,000રૂપિયાથી વધુની ચુકવણી પર1ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે મ્યુચ્યુઅલ ફંડના નિયમો પણ બદલાવ કરવામાં આવશે.માર્કેટ રેગ્યુલેટર SEBIએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોને કડક બનાવવાની તૈયારી કરી છે અને તે પહેલી નવેમ્બરથી અમલમાં આવશે.વાસ્તવમાં, મ્યુચ્યુઅલ ફંડ એકમો માટે લાગુ થવા જઈ રહેલા નવા આંતરિક નિયમો અનુસાર, હવે નોમિની અને તેમના નજીકના સંબંધીઓ દ્વારા એસેટ મેનેજમેન્ટ કંપનીઓના ફંડમાં કરવામાં આવેલા રૂ.15લાખથી વધુના રોકાણને મંજૂરી આપવામાં આવશે નહીં.અને ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી અનુપાલન અધિકારીને આપવાની રહેશે.
ટ્રાઈ દ્વારા નવેમ્બર મહિનાના પ્રારંભ સાથે જ સરકારે JIO, Airtel સહિત તમામ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓને સ્પામ નંબર બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, કંપનીઓ તેમના સિમ વપરાશકર્તાઓ સુધી સંદેશ પહોંચે તે પહેલા જ મેસેજને સ્પામ લિસ્ટમાં મૂકીને નંબરને બ્લોક કરી શકે છે.