/connect-gujarat/media/media_files/2025/03/14/UmMGPKvM1YZw02MS7Bb1.jpeg)
દર વર્ષે માર્ચ મહિનાના બીજા શુક્રવારને ‘વિશ્વ ઊંઘ દિવસ’ તરીકે મનાવાય છે. 2025માં આ દિવસની થીમ-‘મેક સ્લીપ હેલ્થ અ પ્રાયોરિટી’ રાખવામાં આવી છે. લોકલસર્કલ્સ દ્વારા કરાયેલા સરવે મુજબ, ભારતમાં 59% લોકોને રાત્રે સતત 6 કલાકની ઊંઘ મળતી નથી.
તેમાંથી 38% લોકોને શનિ-રવિ અને રજાના દિવસોમાં પણ વધારાની ઊંઘ મળી શકતી નથી. અપૂરતી ઊંઘ પૂરી કરવા 36% લોકો રવિવારે બપોરે સૂવે છે. 6 કલાકથી ઓછી ઊંઘ મેળવતા લોકોમાં 72% જણાવ્યું હતું કે, તેઓ એક કે વધુ વખત રાત્રે વોશરૂમ જતાં હોવાથી સળંગ ઊંઘ લઇ શકતા નથી.