/connect-gujarat/media/post_banners/f0d20e2222c976f16e68910dfc751239fc401b6a023da7c6ad19b74983103f5f.webp)
આજે દેશમાં એકસાથે ત્રણ વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 એમ બે એરક્રાફ્ટ ક્રેશ થયા હતા. આ સાથે રાજસ્થાનના ભરતપુરમાં એક ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થયા હતા.રાજસ્થાનના ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ અકસ્માતનો શિકાર બન્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન યુપીના આગ્રાથી ટેકઓફ થયું હતું અને આ અકસ્માત ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં થયો હતો