જુનાગઢ : ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો કરાયો પ્રારંભ, માત્ર 25 લોકોને મળી મંજૂરી

New Update
જુનાગઢ : ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો કરાયો પ્રારંભ, માત્ર 25 લોકોને મળી મંજૂરી

જુનાગઢમાં ગિરનાર પર્વતમાં યોજાતી લીલી પરિક્રમા કોરોનાના કારણે આ વર્ષે બંધ રાખવામાં આવી છે. પરંતુ સાધુ-સંતો અને પ્રશાસન દ્વારા વિધિવત રીતે પ્રતિકાત્મક વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા દરમ્યાન દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધવા આવતા હોય છે. પરંતુ આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે લીલી પરિક્રમાની મંજુરી નહીં આપતા પ્રતીક રૂપે પરંપરાગત પરિક્રમાનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશાસન દ્વારા 25 જેટલાં યુવાનોને પરિક્રમા કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ગિરનારની ગોદમાં દર વર્ષે 5 દિવસ સુધી મેળો યોજાય છે. પરંતુ કોરોનાના કારણે સમગ્ર દેશમાં મેળા અને ઉત્સવોને બંધ રાખવામાં આવતા જુનાગઢ ખાતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાનો મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે, ત્યારે સાધુ-સંતો અને પ્રશાસન દ્વારા રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે સાદગી પૂર્વક દત્ત ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુનાગઢ જિલ્લા કલેક્ટર, કમિશનર, મનપા મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો નાશ થાય અને લોકો તંદુરસ્ત જીવન જીવે તેવી ગિરનાર મંડળના અધ્યક્ષ અને રાષ્ટ્રવાદી સંત ઇન્દ્રભારતી મહારાજે પ્રાર્થના કરી હતી.

દર વર્ષે દેવ ઉઠી અગિયારસની રાત્રિએ ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે, ત્યારે આ વર્ષે કોરોનાના કારણે લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે. જોકે પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમાનું સુકન જળવાઈ રહે તે માટે 25 જેટલા યુવાનોને વહીવટી તંત્ર દ્વારા લીલી પરિક્રમા કરવાની મંજૂરી અપાતા વિધિવત રીતે પરિક્રમાના રૂટ ઉપર પ્રયાણ કરાવવામાં આવ્યો હતો.

Read the Next Article

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,

New Update
guj

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જે દર્શાવે છે કે ચોમાસું 2025 રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય છે.

આવતીકાલનું હવામાન રાજ્યના કુલ 9 જિલ્લાઓ માટે મહત્ત્વનું રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. આ અંગે હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કર્યા છે.

આવતીકાલના વરસાદની આગાહી અને એલર્ટ

હવામાન વિભાગના વરસાદ સમાચાર મુજબ, આવતીકાલે જુલાઈ 7 ના રોજ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય પાંચ જિલ્લાઓ – અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ માં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

તંત્ર અને નાગરિકો માટે સૂચનાઓ

વરસાદની આ આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 'ઓરેન્જ એલર્ટ' ધરાવતા વિસ્તારોમાં લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા હોવાથી સાવધ રહેવા, અને વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા જણાવાયું છે. વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.