કોવિડ-19 : ગુજરાત રાજ્યમાં આજે નવા 935 કેસ નોધાયા, 1014 દર્દીઓ થયા સાજા

New Update
COVID-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાં નોંધાયા 954 કેસ

ગુજરાત રાજ્યમાં આજે કોરોના વાયરસના 935 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 5 દર્દીઑના મોત થયા છે. જ્યારે આજે 1014 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,72,944 પર પહોંચી છે. અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3719 થયો છે. રાજ્યમાં હાલ 13,106 એક્ટિવ કેસ છે, જ્યારે 1,56,119 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 59 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,047 લોકો સ્ટેબલ છે.

ગુજરાત રાજ્યમાં આજે 935 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 168, અમદાવાદ કોર્પોરેશનમાં 166, વડોદરા કોર્પોરેશનમાં 82, સુરતમાં 59, રાજકોટ કોર્પોરેશનમાં 48, વડોદરામાં 37, મહેસાણામાં 29, ગાંધીનગર કોર્પોરેશનમાં 25, રાજકોટમાં 20, ભરૂચમાં 18, અમરેલી-જુનાગઢમાં 16-16, આણંદ-ગાંધીનગર-જામનગર કોર્પોરેશન-સુરેન્દ્રનગરમાં 15-15 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 5 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, પાટણમાં 1, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1014 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે 51,574 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 60,53,847 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.84 ટકા થયો છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,10,916 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,10,809 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે

Latest Stories