નર્મદા: રાજપીપળામાં શાકમાર્કેટ ખુલ્લી જગ્યામાં ખસેડવાનો તંત્રનો નિર્ણય,વેપારીઓએ નોધાવ્યો વિરોધ

New Update
નર્મદા: રાજપીપળામાં શાકમાર્કેટ ખુલ્લી જગ્યામાં ખસેડવાનો  તંત્રનો નિર્ણય,વેપારીઓએ નોધાવ્યો વિરોધ

રાજપીપળામાં કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા નગર સેવા સદન દ્વારા શાક માર્કેટ ખસેડી જીન કમ્પાઉન્ડમાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે વેપારીઓએ તંત્રના આ નિર્ણયનો વિરોધ નોધાવ્યો હતો અને પુન:એ જ સ્થળે શાક માર્કેટ શરૂ કરી દીધું હતું.

કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા ગઈકાલ સાંજે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ રાજપીપળામાં હાલમાં ચાલતું શાક માર્કેટ ખસેડીને એપીએમસી જિન કમ્પાઉન્ડ જેવી ખુલ્લી જગ્યામાં લઇ જવામાં આવશે જેથી દૂર દૂર વેપારીઓ બેસે અને ટોળા ઓછા થાય તો કોરોના સંક્રમણ અટકે અને આ આદેશ મુજબ રાજપીપળાના જિન કમ્પાઉન્ડમાં નગરપાલિકા દ્વારા માર્કિંગ કરી જગ્યા પણ ફાળવવામાં આવી હતી.

પરંતુ આજે સવારથી જ શાક માર્કેટમાં બેસતા છુટ્ટક વેપારીઓએ આ વાતનો વિરોધ નોધાવ્યો હતો અને શાક માર્કેટ પાસે જ ટોળે વળી સૂત્રોચ્ચાર કર્યા હતા તેઓ ની માંગ છે કે અમે તંત્રની માંગણીને કારણે કોરોના ટેસ્ટ પણ કરાવ્યો છે અને અહીં કોવિડની ગાઈડ લાઈનનું પાલન પણ થાય છે. જિન કમ્પાઉન્ડ માં પણ એક પણ વેપારીના ફરકતા તંત્રના નિર્ણયનો ફિયાસ્કો થયો હતો આ માર્કેટથી જિન સુધી શાકભાજી લઇ જવામાં 100 રૂપિયા જેટલો ખર્ચો લાગે ઉપરાંત જિન કમ્પાઉન્ડમાં પાણી કે છાંયડો કરવાની કોઈ સવલતના હોવાથી માલ બગડે પણ છે આવા માં સ્થાનિક વેપારીઓ રોષમાં છે ત્યારે તંત્ર આ નિર્ણય બદલે છે કે કેમ તે જોવું રહ્યું .

Read the Next Article

PM મોદી આજથી બ્રિટનની મુલાકાતે, કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

New Update
PM Modi Poland Visit

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (free trade)(FTA) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ (Third) ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.

Latest Stories