બનાસકાંઠા : ડીસામાં થયેલી રૂ. 80 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, રોકડ-પિસ્તોલ સાથે 7 શખ્સોની ધરપકડ

6 મહિના અગાઉ આ શખ્સોએ આંગડિયા પેઢીમાં કામ કરતાં માણસોની રેકી કરી હતી. અને ત્યારબાદ રૂ. 80 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ તપાસ કાર્યમાં જોડાય હતી

New Update

ડીસામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી થઈ હતી લૂંટ

હવાલાના રૂ. 80 લાખની થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો

7 લૂંટારુઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રૂ. 46 લાખથી વધુની રોકડપિસ્તોલ-કારતુસ જપ્ત કરાયા

લોકોની રેકી કરી લૂંટને અંજામ આપતા હતા લૂંટારુ : પોલીસ

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આંગડિયા પેઢીના હવાલાના રૂ. 80 લાખની થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે રૂ. 46 લાખથી વધુની રોકડપિસ્તોલ અને કારતુસ સહિત 7 લૂંટારુઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરના નાળચે આંગડિયા પેઢીના હવાલાના રૂ. 80 લાખની લૂંટની ઘટના બની હતી. ડીસા શહેરમાં જૂની કોર્ટની સામે રાજ ઝેરોક્ષની પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં એમ.એચ. આંગડિયા પેઢી ધરાવતા ટીના રાજપૂતના ઘરેથી તેમના ઓફિસ સ્ટફનો માણસ નિકુલ પંચાલ રૂ. 80 લાખ ઉપરાંતની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યો હતોત્યારે વાડી રોડ થઈ લાલ ચાલી વિસ્તારમાંથી નીકળતા અજાણ્યા શખ્સોએ તેને આંતરી બંદૂક બતાવી મોપેડમાં આગળ રાખેલો પૈસા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા.

આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા ડીસા શહેર ઉત્તર તેમજ દક્ષિણ પોલીસની ટીમો દોડી આવી હતી. આ સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા પણ ડીસા દોડી આવ્યા હતાતેમજ એલસીબીએસઓજી સહિતની ટીમો પણ તપાસ કાર્યમાં જોડાય હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં આંગડિયા પેઢીના સ્ટાફના માણસ નિકુલ પંચાલ તેમજ હરદીપ ઠાકોરની પણ ઉલટ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

જોકેતપાસના અંતે પોલીસે 7 લૂંટારુઓની ધરપકડ કરી રૂ. 46 લાખથી વધુની રોકડપિસ્તોલ સહિત કારતુસ જપ્ત કર્યા છે. 6 મહિના અગાઉ આ શખ્સોએ આંગડિયા પેઢીમાં કામ કરતાં માણસોની રેકી કરી હતી. અને ત્યારબાદ રૂ. 80 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતોત્યારે હાલ તો અન્ય એક ફરાર આરોપીની ધરપકડના પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

'તેજશ્વી યાદવનો જીવ જોખમમાં છે, તેમને મારવાના ચાર પ્રયાસો થયા', રાબડી દેવીએ કર્યો મોટો દાવો

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ એવો દાવો કર્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. રાબડી દેવીએ કહ્યું છે કે તેમના પુત્ર અને વિધાનસભામાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવનો જીવ જોખમમાં છે.

New Update
Rabdi Devi

બિહારમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે થોડા મહિના બાકી છે. ચૂંટણી નજીક આવતાં શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમાએ છે. બિહાર વિધાનસભાના ચોમાસા સત્રમાં પણ શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે તીવ્ર ટક્કર જોવા મળી છે. દરમિયાન, શુક્રવારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ એવો દાવો કર્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. રાબડી દેવીએ કહ્યું છે કે તેમના પુત્ર અને વિધાનસભામાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવનો જીવ જોખમમાં છે.

રાબડી દેવીના આ ચોંકાવનારા દાવાની ચર્ચા બધે થઈ રહી છે. શુક્રવારે, પટણામાં, રાબડી દેવીએ કહ્યું કે "તેજશ્વીનો જીવ જોખમમાં છે. તેજસ્વી યાદવને મારવાના ચાર પ્રયાસો થયા હતા. તેમને મારવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેડીયુ અને ભાજપ સિવાય કોણ કાવતરું કરશે? તે લોકો સંસ્કારહીન છે. તેઓ ગટરના કીડા છે."

બિહારમાં વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાઈ શકે છે. રાજ્યમાં કુલ 243 બેઠકો માટે મતદાન થશે. કોઈપણ પક્ષને બહુમતી અને સત્તા મેળવવા માટે 122 બેઠકોની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, જેડીયુ, એલજેપી (રામ વિલાસ), જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષના એનડીએ ગઠબંધન અને આરજેડી, કોંગ્રેસ અને કેટલાક અન્ય પક્ષોના મહાગઠબંધન વચ્ચે છે. આ ઉપરાંત, પ્રશાંત કિશોરના જન સૂરજ અને ઓવૈસીના એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં છે.

Latest Stories