સુરેન્દ્રનગરના થાનગઢમાં શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ લોક મેળાનો થશે પ્રારંભ

મેળાના મેદાનમાં રસ્સા ખેંચ અને કુસ્તી જેવી રમતોની હરીફાઈ યોજાશે. મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Tarnetarno Melo
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો ભાદરવા સુદ ત્રીજ થી પાંચમ સુધી એટલે કે તા. ૦૬ થી ૦૯ સપ્ટેમ્બર સુધી યોજાનાર છે.

જેમાં ભાદરવા સુદ - પાંચમ (ઋષિ પાંચમ)ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલકૃષિ મંત્રી રાઘવજી પટેલપ્રવાસન મંત્રી મુળુ બેરારાજ્યકક્ષાના રમતગમત મંત્રી હર્ષ સંઘવીરાજ્યકક્ષાના પશુપાલન મંત્રી પરષોત્તમ સોલંકીપંચાયત મંત્રી બચુ ખાબડનાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજનગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તા. ૦૬ સપ્ટેમ્બરના રોજ પ્રવાસનમંત્રી મુળુ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે ૦૯.૩૦ કલાકે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અને જલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન મંત્રીઓના વરદહસ્તે કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. ઉલ્લેખનિય છે કે, તરણેતરીયા આ મેળામાં સૌપ્રથમ વાર ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાનાર છે.

ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થી) તા. ૦૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ કલાકે પાળીયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાાના મહંતશ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર પ.પૂ. નિર્મળાબા ઉનડબાપુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થશે. રાત્રે ૯.૦૦ કલાકે મેળાના સ્ટેજ ઉપર સુરેન્દ્રનગર માહિતી કચેરી આયોજીત લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.

Tarnetar Fair

ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. ૦૮ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૬.૩૦ કલાકે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે ૮.૩૦ કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ મેળાના મેદાનમાં રસ્સા ખેંચ અને કુસ્તી જેવી રમતોની હરીફાઈ યોજાશે. મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઇનામ પણ એનાયત કરવામાં આવશે. તેમજ ગંગા આરતી કરવામાં આવશે. રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ભાદરવા સુદ છઠ્ઠ તા. ૦૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૭.૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે ૧૨.૦૦ કલાકે  જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

પુરાતન પાંચાળની સોડમને ઉજાગર કરતા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણ પટેલ, ધારાસભ્ય સર્વ શામજી ચૌહાણ, કિરીટસિંહ રાણા, પ્રકાશ વરમોરા, પી.કે.પરમાર સહિતના મહાનુભાવો સહભાગી બનશે.

#Connect Gujarat #Tarnetar Fair #Tarnetar Lok Mela #Tarnetarno Melo #થાનગઢ #તરણેતરનો મેળો #શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ
Here are a few more articles:
Read the Next Article