આજે તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા તેમજ કમિટી મેમ્બર ભૂપેન્દ્રભાઈ, દિનેશભાઈ, ચંદુભાઈ અને નિલેશભાઈ સહિતના આગેવાનોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા અને તેમના કાર્યોને યાદ કર્યા હતા