વડાપ્રધાન મોદી આજે સાંજે 6 વાગ્યે દેશને સંબોધશે, કોરોનાકાળમાં કોઈ મોટી જાહેરાતની સંભાવના

New Update
વડાપ્રધાન મોદી આજે સાંજે 6 વાગ્યે દેશને સંબોધશે, કોરોનાકાળમાં કોઈ મોટી જાહેરાતની સંભાવના

વડાપ્રધાન મોદી આજે સાંજે 6 વાગ્યે દેશને સંબોધશે. તેમણે પોતે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. કોરોના દરમિયાન મોદીનું આ સાતમું સંબોધન હશે. આ અગાઉ તેમણે 30 જૂને સંબોધન કર્યું હતું. તે દિવસે તેઓ 17 મિનિટ બોલ્યા હતા.

publive-image

વડાપ્રધાન લોકોને સતત નિયમોનું પાલન કરવાની અપીલ કરતા આવ્યા છે. વડાપ્રધાન મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહિ, ત્યાં સુધી ઢીલાશ નહિ. છેલ્લા થોડા દિવસોથી દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.