રાજકોટમાં મહિલાનું સાહસિક પ્રેરણાદાયી પગલું,પોતાના દીકરાને બાઈક પર સાથે બેસાડી કરે છે ફૂડ ડિલિવરી

રચના સરાટે નામની મહિલા પોતાના 6 વર્ષના દીકરાને સાથે રાખીને ફૂડ ડિલિવરીનું કામ કરી રહી છે.આ મહિલાની હિંમત અને જુસ્સાને લોકો બિરદાવી રહ્યા છે.

New Update
Women Food Delivery

રાજકોટમાં પોતાના નાના બાળક સાથે બાઈક પર ફૂડ ડિલિવરી કરતી મહિલા અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.મહિલાની પીઠ પર ફૂડ ડિલિવરીનું બેગ અને બાઈકમાં આગળ પોતાના બાળકને બેસાડીને ઝોમેટોમાં ફૂડ ડિલિવરી કરવા માટે જાય છે. 

જાણવા મળ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશની અને રાજકોટમાં રહેતી રચના સરાટે નામની મહિલા પોતાના 6 વર્ષના દીકરાને સાથે રાખીને ફૂડ ડિલિવરીનું કામ કરી રહી છે.આ મહિલાની હિંમત અને જુસ્સાને લોકો બિરદાવી રહ્યા છે.રચના સરાટ સવારે 11 થી બપોરના 4 વાગ્યા સુધી ફૂડ ડિલિવરનું કામ કરે છે.ફૂડ ડિલિવરીના કામની પહેલા રચનાએ ઘણી જગ્યાએ નોકરી શોધી હતી. નોકરી ન મળતા,ઘરકામ કરવા માટે પણ તૈયાર થઈ હતી.

પરંતુ ઘરકામમાં રાખવા તૈયાર થતા લોકો તેણીની  સાથે દીકરાને જોઈને કામ આપવાની ના પાડી દેતા હતા.જોકે હિંમત ન હારીને અને નિરાશાનો ત્યાગ કરીને રચનાએ બાઈક ચલાવતા શીખીને  ફૂડ ડિલિવરીનું કામ શરૂ કર્યું છે.

ફૂડ ડિલિવરીના કામમાં શરૂઆતમાં ઘણી તકલીફ સહન કર્યા બાદ ધીમે ધીમે રચના પોતાના પગભર થઈ છે.ફૂડ ડિલિવરી કરીને હાલમાં તેણી  મહિને 18 હજાર રૂપિયાની કમાણી કરી રહી છે.મીડિયા સાથેની વાતચીતમાં રચનાએ જણાવ્યું હતું કે દરેક સ્ત્રીએ આત્મનિર્ભર બનવું જોઈએ.

બધા પોતાના બાળકો માટે કંઈક કરવા માંગતા હોય છે. હું પણ મારા બાળકને સારું ભવિષ્ય આપવા માટે આ કામ કરું છું. જેમાં મને કોઈ પણ જાતની શરમ કે સંકોચ નથી. આ કામમાં મારા પતિનો પણ મને ખુબ જ સપોર્ટ મળ્યો છે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-