ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-

 

 

Read the Next Article

રાજકોટમાં તંત્ર દ્વારા 38 બુટલેગરો પર તવાઈ બોલાવીને બુલડોઝર ફેરવી 50થી વધુ દબાણ દૂર કર્યા

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 આરોપીઓ 8થી 10 ગુનામાં સંડોવાયેલા હતા. તેવા 38 આરોપીનું એક લિસ્ટ તૈયાર કરી સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણ દૂર કરાયા

New Update
Rajkot Demolition

રાજકોટમાં 38 બુટલેગરના ઘર પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. વહેલી સવારે 55 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. જ્યાં લૂંટ અને મારામારીચીલઝડપરાયોટિંગવાહનચોરીપ્રોહિબિશન સહિતના આરોપીઓએ આ જગ્યાઓ પર કબજો જમાવ્યો હતો.

રાજ્યભરમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે રાજ્ય સરકાર દ્વારા તેમના ગેરકાયદે દબાણો દૂર કરવા પોલીસને સૂચના આપવામાં આવી છેજે અંતર્ગત રાજકોટ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 આરોપીઓ 8થી 10 ગુનામાં સંડોવાયેલા હતા. તેવા 38 આરોપીનું એક લિસ્ટ તૈયાર કરી સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણ દૂર કરાયા છે. હાલમાં કુલ 2610 ચોરસ મીટર જગ્યા પર ડિમોલિશન હાથ ધરાયું છે. આ સાથે જ રાજકોટમાં 6.52 કરોડની કિંમતની જગ્યા પરના દબાણને દૂર કરવામાં આવ્યું છે.