રાજકોટ: પંજાબ નેશનલ બેંકમાં ગ્રાહકે શર્ટ કાઢી વિરોધ નોંધાવ્યો

રાજકોટમાં પીએનબી બેંકે 25 લાખ રૂપિયા ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈ વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી

New Update

રાજકોટમાં પંજાબ નેશનલ બેન્કએ 25 લાખ રૂપિયા ચાઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે ફરિયાદીએ બેંકમાં પહોંચી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો

રાજકોટમાં પીએનબી બેંકે 25 લાખ રૂપિયા ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈ વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી.ફરિયાદીએ પીએનબીના ઓક્શનમાં ૭૧લાખ રૂપિયાનો ફ્લેટ લીધો હતો.આકાશવાણી ચોકમાં આવેલ શાંતિ હાઈટમાં પીએનબી ઓક્શનનો ફ્લેટ લીધો હતો.25 લાખ રૂપિયા ફોર ફીટ થઈ ગયા હોવાનું બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું ત્યારે 25 લાખ રૂપિયા બાબતે બેંકકર્મી યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને પૂરેપૂરી રકમ વ્યાજ સાથે મળે તેવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-