રાજકોટ : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર યુવાનની કરાઈ હત્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

New Update
રાજકોટ : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર યુવાનની કરાઈ હત્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટમાં ફરી એક વાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 32 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

રાજકોટમાં ગુરૂવારના રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. 32 વર્ષીય વિજય મેર નામના યુવાનની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. સરાજાહેર હત્યા થઈ રહી હોય તે પ્રકારના વિચલિત કરતાં સીસીટીવી પણ હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જોકે, હત્યાના ગુનાને અંજામ આપનાર બે જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારના રોજ વિજય મેર નામનો 32 વર્ષીય યુવક પોતાના ઘર પાસે મિત્ર ગોપીની સાથે મોબાઈલમાં રમી ગેમ રમી રહ્યો હતો. આ સમયે બાઈકમાં બે જેટલા શખ્સો ધસી આવ્યા હતા અને શખ્સોએ વિજય મેરને છરી અને ધારિયાના ઘા મારી તેની કરપીણ હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેના કારણે આરોપીઓની ઓળખ કરવી સરળ બની હતી. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, વિજયની હત્યા તેનાજ વિસ્તારમાં રહેતા એક શખ્સ તેમજ તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ગણતરીની કલાકોમાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસની પૂછપરછમાં બે પૈકી એક આરોપીએ જણાવ્યું છે કે, મૃતક વિજય મેર તેની દીકરીને ગત ઓકટોબર માસમાં અપહરણ કરી રાજસ્થાન સહિતની જગ્યાઓએ લઈ ગયો હતો. જે બાબત અંગે તેને પોલીસ ફરિયાદ બાદ વિજયની પોલીસે ધરપકડા કરી હતી અને વિજય વિરુદ્ધ પોક્સો તેમજ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જોકે, એકાદ મહિના જેલમાં રહ્યા બાદ વિજય મેર જામીન પર છૂટ્યો હતો. બાદમાં આરોપીએ વિજયની અવારનવાર લુખ્ખાગીરી અને ધમકીઓથી કંટાળી ગયા બાદ વિજયનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત તેને પોતાના મિત્ર ની મદદ સાથે હત્યાના ગુનાને અંજામ આપ્યો છે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-