રાજકોટ : સીટી બસનાં ચાલકે અકસ્માત સર્જીને વાહનોને અડફેટમાં લેતા ચારના મોત,લોકોએ કરી બસમાં તોડફોડ

સર્જાયેલા આ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,અને ચારથી વધુ ઘાયલ થયા હતા.રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોટ કરતા મામલો તંગ બન્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • રાજકોટમાં કાળમુખી સીટી બસ

  • બસ ચાલકની બેફામ રફ્તારે સર્જ્યો અકસ્માત

  • પાંચથી વધુ વાહનોને અડફેટમાં લીધા

  • ચાર નિર્દોષ લોકોના નિપજ્યા કરૂણ મોત

  • લોકટોળાએ બસમાં કરી તોડફોડ

  • પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ

  • RMCએ આર્થિક સહાયની કરી જાહેરાત  

રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ માતેલા સાંઢ માફક દોડતી સીટી બસના ચાલકે એક સાથે બે રિક્ષા તેમજ પાંચથી છ જેટલા ટુ વહીલર વાહનોને અડફેટે લીધા હતા.સર્જાયેલા આ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,અને ચારથી વધુ ઘાયલ થયા હતા.રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોટ કરતા મામલો તંગ બન્યો હતો.

રાજકોટના ઇન્દિરા નગર સર્કલ પાસે સીટી બસ કાળમુખી બની હતી,સીટી બસના ચાલકે બસને માતેલા સાંઢની માફક દોડાવીને રિક્ષા,બાઈક સહિતના વાહનોને અડફેટમાં લીધા હતા,સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાજુભાઈ ગીડા,સંગીતાબેન નેપાળી,કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ,ચિન્મયભાઈ ઉર્ફે લાલો જીગ્નેશ ભટ્ટના કરૂણ મોત નિપજ્યા હતા,જયારે સુરજ ધર્મેશ રાવલ,વિશાલ રાજેશ મકવાણા, વિરાજબા મહાવીરસિંહ ખાચર,શિશુપાલસિંહ રાણા સહિતના લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો,અને રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી,પોલીસે અકસ્માતને પગલે સ્થાનિકોના રોષને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અકસ્માતની ઘટનાની કારણોની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતના મામલે RMC મૃતકોને 15 લાખ, ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-