રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બહાર કોંગ્રેસના દેખાવો, સરકાર વિરૂધ્ધ નારેબાજી

ભાજપના સુશાસન સપ્તાહની સામે કોંગ્રેસના પણ કાર્યક્રમો, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બહાર કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

New Update
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બહાર કોંગ્રેસના દેખાવો, સરકાર વિરૂધ્ધ નારેબાજી

ભાજપના સુશાસન સપ્તાહની ઉજવણીની સમાંતર કોંગ્રેસ પણ કાર્યક્રમો આપી રહયું છે. અમદાવાદમાં અમિત ચાવડાની આગેવાનીમાં તો રાજકોટમાં પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અને વિરોધનો મુદ્દો હતો રાજયમાં શિક્ષણના થઇ રહેલાં વ્યાપારીકરણ અને ખાનગીકરણનો.

રાજયમાં એક તરફ ભાજપ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા છે. રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતાં. કોંગી આગેવાનો તથા કાર્યકરો હાથમાં પોસ્ટર્સ લઇને આવ્યાં હતાં.

કોંગ્રેસનો કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ યુનિવર્સીટી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલાં આગેવાનો તથા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે દરમિયાનગીરી કરતાં કાર્યકરો અને પોલીસજવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પરેશ ધાનાણીએ રાજય સરકારની ખાનગીકરણની નિતિનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-