Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : કૂવામાંથી મળ્યો નવજાત બાળકનો મૃતદેહ, 16 વર્ષીય સગીરાએ બાળકને જન્મ આપી કૂવામાં ફેંકી દીધું..

બાળક કૂવામાં નાખ્યું ત્યારે જીવતું હતું કે જન્મતા સમયે મૃત હતુ એ અંગે કોઈ જ માહિતી નથી.

રાજકોટ : કૂવામાંથી મળ્યો નવજાત બાળકનો મૃતદેહ, 16 વર્ષીય સગીરાએ બાળકને જન્મ આપી કૂવામાં ફેંકી દીધું..
X

રાજકોટ જિલ્લાના પડધરીના ઉકરડા ગામે કૂવામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો છે. આ વાતની જાણ થતાં જ રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ તરત જ આ કૂવા પાસે પહોંચી અને આ કૂવામાંથી નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો. પોલીસ-તપાસમાં એક 16 વર્ષની સગીરાએ શિશુને જન્મ આપતાં સગીરા અને તેના પરિવારના સભ્યોએ નવજાતને કૂવામાં નાખી દીધું હોવાનું સામે આવ્યું છે, એને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળક કૂવામાં નાખ્યું ત્યારે જીવતું હતું કે જન્મતા સમયે મૃત હતુ એ અંગે કોઈ જ માહિતી નથી. આ માહિતી ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.

જો જીવતું હશે અને કૂવામાં નાખ્યું હશે તો આ મામલે સગીર અને તેના પરિવાર વિરુદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે સગીરાએ શિશુને જન્મ આપ્યો છે તે સગીરા ગોધરાના સંતરામપુરની વતની છે. તેનાં માતા-પિતા વતનમાં રહે છે. 16 વર્ષીય દીકરી ગર્ભવતી બનતાં હાલમાં તેના પરિવારને જાણ થતાં દીકરીને કાઢી મૂકી હતી, જેથી સગીરા હજુ 15 દિવસ પહેલાં જ ઉકરડાની એક વાડીમાં કામ કરતા તેના ભાઈ-ભાભી સાથે રહેવા આવી હતી. સગીરાની પૂછપરછમાં તેની સાથે અલ્પેશ નામના તેના જ ગામના એક શખસે શરીરસંબંધ બાંધ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

Next Story