રાજકોટ: અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો, મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ બાંધકામથી વાકેફ હતુ !

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આ સમગ્ર મામલાની પુરજોશમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દિન પ્રતિદિન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે

New Update

રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ આ વિવાદિત બાંધકામથી વાકેફ હોવાનું બહાર આવ્યું છે

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આ સમગ્ર મામલાની પુરજોશમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દિન પ્રતિદિન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે વધુ એક ખુલાસો થયો છે જેમાં
રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર પણ આ બાંધકામથી વાકેફ હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2021માં ફૂડ લાયસન્સ અપાયું હોવાનું બહાર આવ્યું છે.આ માટે નીતિન જૈનના નામથી અરજી કરવામાં આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ પાસે વિગતો મંગાવવામાં આવી છે અને કયા કયા દસ્તાવેજોના આધારે ફૂડ લાયસન્સ અપાયુ એ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે
Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-