વડોદરા:કિશોરીના અપહરણ અને બાળાત્કારના કેસમાં આરોપીને સાત વર્ષની જેલની સજા ફટકારતી કોર્ટ

સાવલી તાલુકામાં રહેતી અને ધો.૧૦મા અભ્યાસ કરતી ૧૦ વર્ષની સગીરા સ્કૂલ અને ટયૂશન માટે પોતાના ગામથી સાવલી અપડાઉન કરતી હતી.

New Update
વડોદરા:કિશોરીના અપહરણ અને બાળાત્કારના કેસમાં આરોપીને સાત વર્ષની જેલની સજા ફટકારતી કોર્ટ

વડોદરા સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલા અપહરણ અને બાળાત્કારના ગુનામાં આરોપીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવીને કોર્ટે સાત વર્ષ કેદની સજાનો હૂકમ કર્યો છે જ્યારે પિડિતા સગીર હોવાથી તેને વળતર તરીકે રૃ.૪ લાખ ચુકવવા પણ આદેશ કર્યો છે.

સાવલી તાલુકામાં રહેતી અને ધો.૧૦મા અભ્યાસ કરતી ૧૦ વર્ષની સગીરા સ્કૂલ અને ટયૂશન માટે પોતાના ગામથી સાવલી અપડાઉન કરતી હતી. કમલેશ મુકેશભાઇ રોહીત (ઉ.૧૯. ગામ મંજોલા, તા.આમોદ, જિ.ભરૃચ) તેના પરિચયમાં આવ્યો હતો અને તા.૧૧ જુન ૨૦૧૮ના રોજ સગીરા જ્યારે સાવલી ખાતે ટયૂશન ક્લાસમાં આવી હતી ત્યારે કમલેશ સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. સગીરા ટયૂશનમાંથી ઘરે પરત નહી ફરતા તેના પરિવારજનો શોધખોળ કરવા લાગ્યા હતા ત્યારે ખબર પડી હતી કે કમલેશ તેને ભગાડી ગયો છે એટલે સગીરાના પરિવારજનોએ કમલેશની માતાને જાણ કરી હતી.બીજી તરફ કમલેશ સગીરાને લઇને પહેલા રાજપીપળા અને ત્યાંથી વલસાડ ગયો હતો અને રાત્રે સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો જ્યાં કમલેશે સગીરા ઉપર બાળાત્કાર કર્યો હતો અને બીજા દિવસે કમલેશ જ્યારે પોતાના ગામ પહોંચ્યો ત્યારે સગીરાના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા હતા અને સગીરાને લઇને ભાદરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં કમલેશ વિરૃધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.આ કેસમાં કોર્ટે આરોપીને 7 વર્ષ કેદ અને વળતર તરીકે રૂ.4 લાખ ચૂકવવા આદેશ કર્યો છે

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-