Connect Gujarat
વાનગીઓ 

જો તમે કયારેક વધુ પડતું તેલ વાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, ઓઇલી ફૂડનું નુકશાન ઓછું થશે

જંક ફૂડ અને વધુ તળેલી વસ્તુઓ ટાળવી જોઈએ. પરંતુ જો તમે કયારેક કયારેક આવી વધી તેલ વળી વસ્તુઓ ખાતા હોય તો આ નિયમો નું પાલન કરો.

જો તમે કયારેક વધુ પડતું તેલ વાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, ઓઇલી ફૂડનું નુકશાન ઓછું થશે
X

ઘણી વાર આપણે વધુ પડતું તેલ વાળું ખાઈ લેતા હોઇએ છીએ અને આ આપણને ખાધા પછી અહેસાસ થાય છે કે આપણે વધુ પડતું તેલ વાળું ખાઈ લીધું છે. જંક ફૂડ અને વધુ તળેલી વસ્તુઓ ટાળવી જોઈએ. પરંતુ જો તમે કયારેક કયારેક આવી વધી તેલ વળી વસ્તુઓ ખાતા હોય તો આ નિયમો નું પાલન કરો. જેથી તમે વધુ પડતાં તેલયુક્ત ખોરાકના નુકશાનથી બચી શકશો.

કેવી રીતે ઓછું થશે ઓઇલી ફૂડનું નુકશાન?

· હુંફાળું પાણી પીવો - હુંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સક્રિય થાય છે. આ પોષક તત્વોને સુપાચ્ય સ્વરૂપમાં તોડવામાં મદદ કરે છે. આથી પાચનમાં સમસ્યાઓ ઊભી થતી નથી.

· શાકભાજી અને ફાળો ખાઓ - ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટના સેવનથી કબજિયાત થઈ શકે છે. આવી સ્થિતિમાં ફળો અને શાકભાજી ખાવાથી આપને ખુબ ફાયદો થશે. તેઓ શરીરમાં વિટામીન, ફાઈબર અને મિનરલ્સની ઉણપને પૂરી કરે છે. સવારના નાસ્તામાં બીજ સાથે ફળ ખાઓ. સલાડના બાઉલથી ભોજનની શરૂઆત કરો. ભોજનનું અગાઉથી આયોજન કરો. આ જંક ફૂડ ખાવાનું ટાળશે. સવારે તંદુરસ્ત અને પૌષ્ટિક નાસ્તો કરવાની ખાતરી કરો. આહારમાં શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો.

· ડિટૉક્સ ડ્રિંક- તેલયુક્ત કંઈપણ ખાધા પછી ડિટોક્સ ડ્રિંક લો, ફાયદો થશે અને ઝેરી પદાર્થો બહાર આવશે. લીંબુનો રસ પાણીમાં ભેળવીને પીવો. આ શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરશે.

· પ્રોબાયોટિક્સ- પ્રોબાયોટીક્સ નિયમિતપણે લો. તેલયુક્ત ખોરાક ખાધા પછી એક કપ દહીં ખાવાથી ઘણી રાહત થાય છે. બીજી તરફ, વધુ પડતા તળેલા ખોરાક ખાધા પછી ઠંડી વસ્તુઓને ટાળવી જોઈએ. તે લીવર અને આંતરડાને નુકસાન પહોંચાડે છે. તેલયુક્ત ખોરાકને પચાવવાનું એટલું સરળ નથી. આ પછી, ઠંડા ખોરાકને પચાવવાનું વધુ મુશ્કેલ બને છે.

· ફરવા નીકળો- તેલયુક્ત ખોરાક ખાધા પછી ચાલવા જાઓ. ચાલવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળશે. આ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરશે.

· સારી ઉંઘ લો- સારી ઊંઘ તમારા મૂડ સારો કરી શકે છે. તેથી તેલયુક્ત ખોરાક ખાધા પછી બને તેટલો આરામ કરો. રાત્રિ ભોજન અને ઊંઘ વચ્ચે હંમેશા 2-3 કલાકનું અંતર હોવું જોઈએ. તેલયુક્ત ખોરાક ખાધા પછી તરત જ સૂઈ જશો નહીં. જમ્યા પછી તરત સૂઈ જવાથી ખોરાક પચવામાં તકલીફ પડે છે. આનાથી ચરબી જમા થવાની શક્યતા વધી જાય છે.

Next Story