નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાને અર્પણ કરો નારિયેળના લાડુનો ભોગ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ....

શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

New Update
નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાને અર્પણ કરો નારિયેળના લાડુનો ભોગ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ....

શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ આઠમાં નોરતે મહાગૌરી માતાજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધાર્મિક વિધિ મુજબ પુજા કરવા ઉપરાંત દેવી માતાને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે માતા મહા ગૌરીને આજે નારિયેળનો પ્રસાદ ધરાવવામાં આવે છે અથવા તો તમે નારિયેળમાંથી બનેલી કોઈ પણ વસ્તુઓનો ભોગ માતાજીને ધરી શકો છો. તો આજે આપણે બનાવીશું નારિયેળના લાડુ.. તો નોંધી લો નારિયેળના લાડુ બનાવવાની રેસેપી....

નારિયેળના લાડુ બનાવવાની સામગ્રી

· 2 કપ છીણેલું નારિયેળ

· 2 ચમચી ઘી

· 2 ચમચી બારીક સમારેલી બદામ

· 2 ચમચી સમારેલા કાજુ

· 2 ચમચી કિસમિસ

· ½ ચમચી સૂંઠ પાવડર

· ¼ ચમચી જાયફળ પાવડર

· ¾ કપ ગોળ

નારિયેળના લાડુ બનાવવાની રીત

· ગોળ અને નારિયેળના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તવાને ગરમ કરો.

· જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેમાં છીણેલું નારિયેળ ઉમેરી 2 મિનિટ માટે શેકી લો.

· તેને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ તેને બહાર કાઢીને સાઇડમાં મૂકી દો.

· હવે એક કાઢીમાં ઘી ગરમ કરી, તેમાં ડ્રાઈફ્રૂઇટ્સ ઉમેરી ધીમી આંચ પર એક મિનિટ શેકો.

· હવે તેને એક મિનિટ પછી ગેસ પરથી ઉતારી લો.

· હવે તેમાં શેકેલું નારિયેળ, સૂંઠ પાવડર અને જાયફળ પાવડર નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

· હવે તેમાં ગોળ ઉમેરીને બરાબર મિક્સ કરીને લાડુને તૈયાર કરો.

· હવે આ લાડુ મહા ગૌરીને પ્રસાદમાં ધરાવો.  

Read the Next Article

વરસાદી માહોલમાં ઘરે બનાવો વેજ મનચાઉ સૂપ, આ રહી સરળ રેસિપી

વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચાઈનીઝ ફૂડ ખાવનું પસંદ હોય છે.બહાર ખવીથી આપણને બીમાર થવાનો ભય રહતો હોય છે. ત્યારે આજે મંનચાવ સૂપ કેવી રીતે ઘરે સરળતાથી બનાવાય તે જણાવીશું.

New Update
soup

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.

વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે અને આપણાં ભારતમાં બધા જ લોકો સ્વાદ પ્રેમી છે ત્યારે વરસાદના મોસમમાં સ્વાદપ્રેમીઓ માટે આજે આપણે જોઈશું કે મનચાઉ કેવી રીતે બનાવી શકાય છે.

વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચાઈનીઝ ફૂડ ખાવનું પસંદ હોય છે.બહાર ખવીથી આપણને બીમાર થવાનો ભય રહતો હોય છે. ત્યારે આજે હેલ્ધી મંનચાવ સૂપ કેવી રીતે ઘરે સરળતાથી બનાવાય તે જણાવીશું.

ઘરે ગરમા ગરમ મંનચાવ સૂપ બનાવવા માટે લસણ, આદુ, ડુંગળી, કેપ્સીકમ, ગાજર, મીઠું, કોબી, સોયા સોસ, ટમેટાની ચટણી, ચિલી સોસ, વિનેગર, પાણી, કાળા મરી પાઉડર, લીલું લસણ, કોથમીરની જરુર પડશે.

ઘરે વેજ મનચાઉ સૂપ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. તેમાં લસણ, આદુ, લીલા મરચાં સહિત તમને ભાવતા અન્ય લીલા શાકભાજી પણ બારીક કાપીને ઉમેરો.

તમામ શાકભાજીને 3-4 ફ્રાય થાય એટલે તેમાં પાણી નાખી ઉકળવા દો. હવે તેમાં ચીલી સોસ અને સોયા સોસ નાખીને મિક્સ કરો. હવે થોડીવાર પછી મીઠું અને કાળા મરી નાખી બરાબર મિક્સ કરો.

ત્યારબાદ એક બાઉલમાં કોર્ન ફ્લોરને પાણીમાં મિક્સ કરો. કોર્ન ફ્લોર ઓગળી જાય ત્યારે તેને સૂપમાં ઉમેરી ધીમી આંચ પર પકાવો. હવે સૂપને તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો. 

 tasty food | Homemade Recipe | Monsoon