અંકલેશ્વર : વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું સ્વાદ રસિયાઓની જીભે ચોટ્યું, દરરોજ 100 કિલોથી વધુ ઉબાડિયાનું વેંચાણ...

ઉંબાડિયાને પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. જેમાં માટલું ઉંધુ મુકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરીને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. ઉંબાડિયું માત્ર શિયાળામાં મળતી વાનગી છે

New Update
  • દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી ઉંબાડિયું

  • વલસાડનો પરિવાર છેલ્લા 5 વર્ષથી બનાવે છે ઉંબાડિયું

  • અંકલેશ્વર અને ભરૂચ રોડ પર ઉંબાડિયાનું થતું ધૂમ વેંચાણ

  • રોજ 100 કિલોથી વધુ ઉંબાડિયું આરોગે છે સ્વાદ રસિયાઓ

  • સ્વાદ રસિયાઓની જીભે ચોટ્યો સ્વાદિષ્ટ ઉંબાડિયાનો સ્વાદ

 વલસાડનો પરિવાર છેલ્લા 5 વર્ષથી અંકલેશ્વર-ભરૂચ રોડ પર ઉંબાડિયું વેચવા આવે માટે છે. રોજના 8થી 10 માટલા ઉંબાડિયાનું  વેચાણ કરે છે. જે સ્વાદિષ્ટ ઉંબાડિયાનો સ્વાદ ભરૂચ અને અંકલેશ્વરના સ્વાદ રસિયાઓની જીભે ચોટ્યો છે.

વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી માસ સુધી અંકલેશ્વર-ભરૂચ રોડ પર આવીને વ્યવસાય કરે છે જેમાં શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી એટલે કેઉંબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે. આ પારંપારિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીંપરંતુ આરોગ્યપ્રદ પણ છે. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉંબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર અને ભરૂચવાસીઓને પણ લાગ્યો છે.

ઉંબાડિયાને પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. જેમાં માટલું ઉંધુ મુકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરીને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. ઉંબાડિયું માત્ર શિયાળામાં મળતી વાનગી છેજેમાં પાપડીબટેટારીંગણશક્કરિયા તથા રતાળુ સમારીને લસણ-મરચાની ચટણી સહિતનો સ્વાદ ભેળવીને તૈયાર કરવામાં આવે છે.

જોકેનવાઈની વાત તો એ છે કેમાત્ર વરાળથી બનતું આ ઉંબાડિયાનો લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે. જેમાં ન તો કોઈ વધુ મરી મસાલા હોય છે કેન તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે. કારણ કેતમામ પ્રકારના શાકભાજીનો ઉમેરો કરાય છે. છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ 80થી 100 કિલોથી વધુ ઉબાડિયું વેંચાણ કરે છેજ્યાં ભરૂચઅંકલેશ્વર ઉપરાંત અમદાવાદસુરતવડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે.

Read the Next Article

હાઈ પ્રોટીન યુક્ત મગની દાળના ઢોકળા ઘરે બનાવો, આ રહી સરળ રેસિપી

સવારે નાસ્તામાં હેલ્ધી ખાવું ખૂબ જ મહત્વનું છે. કઠોળની વિવિધ પ્રકારની વાનગી બનાવતા હોય છે. ત્યારે મગની દાળના ઢોકળા ઘરે બનાવી શકાય છે. તેની સંપૂર્ણ રેસિપી જણાવીશું.

New Update
dal na dhokal

સવારે નાસ્તામાં હેલ્ધી ખાવું ખૂબ જ મહત્વનું છે. કઠોળની વિવિધ પ્રકારની વાનગી બનાવતા હોય છે. ત્યારે મગની દાળના ઢોકળા ઘરે બનાવી શકાય છે. તેની સંપૂર્ણ રેસિપી જણાવીશું.

દરેક લોકોને સવાર-સાંજે નાસ્તામાં સ્વાદિષ્ટ વાનગી ખાવાનું પસંદ હોય છે. ત્યારે મગની દાળના ઢોકળા બનાવી શકો છો. આ ઢોકળા પ્રોટીનથી પણ ભરપૂર હોવાથી હેલ્ધ માટે ફાયદાકારક છે.

મગની દાળના ઢોકળા બનાવવા માટે મગની દાળ, દહીં, આદુ-લીલા મરચાની પેસ્ટ, લીંબુનો રસ, ઈનો અથવા ટાટાના સોડા, મીઠું, હળદર, રાઈ, કઢી પત્તા, તેલ, પાણી સહિતની વસ્તુની જરુર પડશે.

સૌથી પહેલા મગની દાળને 3-4 કલાક પાણીમાં પલાળી રાખો. પછી થોડું પાણી ઉમેરો અને તેને મિક્સરમાં બારીક પીસી લો.

મગની દાળની પેસ્ટ ખૂબ પાતળી ન હોવી જોઈએ. તેનું ખીરું ઈડલી જેવું રાખો. હવે પીસેલી દાળમાં દહીં, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, હળદર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

હવે બેટરમાં ઈનો અથવા ખાવાના સોડા ઉમેરી મિક્સ કરી લો.ત્યારબાદ ગ્રીસ કરેલી પ્લેટમાં નાખી 15-20 મિનિટ માટે સ્ટીમ કરો.

ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, કઢી પત્તા અને લીલા મરચાં ઉમેરી ઢોકળા ઉમેરી વઘારી લો. આ હાઈ પ્રોટીન ઢોકળાને ફૂદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.