અંકલેશ્વર : વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું સ્વાદ રસિયાઓની જીભે ચોટ્યું, દરરોજ 100 કિલોથી વધુ ઉબાડિયાનું વેંચાણ...

ઉંબાડિયાને પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. જેમાં માટલું ઉંધુ મુકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરીને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. ઉંબાડિયું માત્ર શિયાળામાં મળતી વાનગી છે

New Update
  • દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી ઉંબાડિયું

  • વલસાડનો પરિવાર છેલ્લા 5 વર્ષથી બનાવે છે ઉંબાડિયું

  • અંકલેશ્વર અને ભરૂચ રોડ પર ઉંબાડિયાનું થતું ધૂમ વેંચાણ

  • રોજ 100 કિલોથી વધુ ઉંબાડિયું આરોગે છે સ્વાદ રસિયાઓ

  • સ્વાદ રસિયાઓની જીભે ચોટ્યો સ્વાદિષ્ટ ઉંબાડિયાનો સ્વાદ

વલસાડનો પરિવાર છેલ્લા 5 વર્ષથી અંકલેશ્વર-ભરૂચ રોડ પર ઉંબાડિયું વેચવા આવે માટે છે. રોજના 8થી 10 માટલા ઉંબાડિયાનું  વેચાણ કરે છે. જે સ્વાદિષ્ટ ઉંબાડિયાનો સ્વાદ ભરૂચ અને અંકલેશ્વરના સ્વાદ રસિયાઓની જીભે ચોટ્યો છે.

વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી માસ સુધી અંકલેશ્વર-ભરૂચ રોડ પર આવીને વ્યવસાય કરે છેજેમાં શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી એટલે કેઉંબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે. આ પારંપારિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીંપરંતુ આરોગ્યપ્રદ પણ છે. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉંબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર અને ભરૂચવાસીઓને પણ લાગ્યો છે.

ઉંબાડિયાને પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. જેમાં માટલું ઉંધુ મુકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરીને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. ઉંબાડિયું માત્ર શિયાળામાં મળતી વાનગી છેજેમાં પાપડીબટેટારીંગણશક્કરિયા તથા રતાળુ સમારીને લસણ-મરચાની ચટણી સહિતનો સ્વાદ ભેળવીને તૈયાર કરવામાં આવે છે.

જોકેનવાઈની વાત તો એ છે કેમાત્ર વરાળથી બનતું આ ઉંબાડિયાનો લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે. જેમાં ન તો કોઈ વધુ મરી મસાલા હોય છે કેન તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે. કારણ કેતમામ પ્રકારના શાકભાજીનો ઉમેરો કરાય છે. છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ 80થી 100 કિલોથી વધુ ઉબાડિયું વેંચાણ કરે છેજ્યાં ભરૂચઅંકલેશ્વર ઉપરાંત અમદાવાદસુરતવડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે.

Read the Next Article

શ્રાવણમાસના ઉપવાસમાં ઘરે બનાવો ગ્રીન આલુ ચાટ, આ રહી સરળ ટીપ્સ

ચોમાસાની ઋતુમાં આ મસાલેદાર ગ્રીન આલુ જોઈને જ તમારા મોંમાં પાણી આવી જાય છે. સૌથી સારી વાત એ છે કે તેને બનાવવા માટે વધારે ઝંઝટની જરૂર નથી. તમે તેને ગમે ત્યારે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો.

New Update
green aaloo

ભારતમાં તમે જ્યાં પણ જાઓ, તમને ખાવાના ઘણા બધા વિકલ્પો મળશે. દરેક જગ્યાએથી કોઈ ખાસ વસ્તુ પ્રખ્યાત થશે.

યુપીમાં સ્ટ્રીટ ફૂડમાં એટલી બધી વિવિધતા છે કે યુપીનું ભોજન એકવાર ચાખ્યા પછી, તમને અહીંનું ભોજન વારંવાર ખાવાનું મન થશે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઉત્તર પ્રદેશના ખાસ મસાલેદાર ગ્રીન આલુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. લખનૌ અને કાનપુરમાં, તમને બધે જ ગ્રીન આલુ સ્ટ્રીટ પર મળે છે.

ચોમાસાની ઋતુમાં આ મસાલેદાર ગ્રીન આલુ જોઈને જ તમારા મોંમાં પાણી આવી જાય છે. સૌથી સારી વાત એ છે કે તેને બનાવવા માટે વધારે ઝંઝટની જરૂર નથી. તમે તેને ગમે ત્યારે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. તેની રેસીપી જાણો.

ગ્રીન આલુ બનાવવા માટે 500 ગ્રામ બટાકા, 100 ગ્રામ કોથમીર, ચાર થી પાંચ લીલા મરચાં, એક ચમચી મીઠું, આમચુર પાવડર, ચાર ચમચી લીંબુનો રસ સહિતની વસ્તુની જરુર પડશે.

સૌ પ્રથમ બટાકાને બાફીને છોલી લો. તેને નાના ટુકડામાં કાપો. કોથમીરની દંડી સાથે જ તેને સારી રીતે ધોઈને કાપી લો. હવે મિક્સરમાં કોથમીર, લીલા મરચાં, મીઠું, લીંબુનો રસ ઉમેરી બરાબર પીસી લો.

હવે આ ચટણીને સમારેલા બટાકામાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે લીંબુનો રસ ઉમેરો. તેમાં સ્વાદઅનુસાર મીઠું ઉમેરો. તમારે તેને શિયાળામાં કે વરસાદની ઋતુમાં ખાવાની મજા આવે છે.

જો તમે ઈચ્છો તો, તમારા સ્વાદ મુજબ કોથમીર બટાકામાં ચટણીનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો. કેટલાક લોકો તેમાં દહીં પણ ભેળવે છે. જો તમે ઈચ્છો તો ચટણી બનાવતી વખતે બે ચમચી દહીં ઉમેરી શકો છો. આનાથી બટાકા પરની ચટણીને ખૂબ જ સરસ રંગ મળે છે. આ સિવાય તમે થોડું સંચળ પણ ઉમેરી શકો છો.

recipe tips | Homemade Recipe | tasty and different