મુંબઈના શિવાજી પાર્કમાં સચિનના કોચ રમાકાંત આચરેકરની પ્રતિમા સ્થાપિત કરાશે

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકર સરની પ્રતિમા મુંબઈના શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબમાં સ્થાપિત કરવામાં આવશે.

ramakantachrekardie
New Update

દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકર સરની પ્રતિમા મુંબઈના શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબમાં સ્થાપિત કરવામાં આવશે. સચિન તેંડુલકરે પોતે શનિવારે એક સોશિયલ પોસ્ટમાં આ માહિતી આપી છે.

શનિવારે ઈન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી પોસ્ટ કરી અને લખ્યું- 'હું તે સ્થળ તરફ ઈશારો કરી રહ્યો છું જ્યાંથી મારી સફર શરૂ થઈ હતી- શિવાજી પાર્કમાં કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબ. ટૂંક સમયમાં જ આચરેકર સરની હાજરી અહીં તેમની પ્રતિમા સાથે અમર થઈ જશે. અસંખ્ય લોકોના જીવનને આકાર આપનાર માણસને આ સાચી શ્રદ્ધાંજલિ હશે.'આ ફોટામાં સચિન શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબ બતાવતો જોવા મળ્યો હતો.

#statue #Mumbai #Coach #Sachin #Shivaji Park #Ramakant Achrekar
Here are a few more articles:
Read the Next Article