WTC Final પહેલા જીત માટે BCCIએ લીધો મોટો નિર્ણય યશસ્વી જાયસવાલની ટિમમા એન્ટ્રી !

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે.

New Update
WTC Final પહેલા જીત માટે BCCIએ લીધો મોટો નિર્ણય યશસ્વી જાયસવાલની ટિમમા એન્ટ્રી !

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે. ટીમ ઈન્ડિયાની આ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ છે.WTC Final 2019-21ના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના સામે થવા જઈ રહેલી ફાઈનલ પહેલા જ ટીમ ઈન્ડિયાના અમુક ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. જેમાં વિરાટ કોહલી. ચેતેશ્વર પુજારા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન શામેલ છે. ત્યાં જ ટીમ ઈન્ડિયામાં એક સ્ટાર ખેલાડીની એન્ટ્રી થઈ છે. એક રિપોર્ટ અનુસાર યુવા બેટ્સમેન યશસ્વી જાયસવાલને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સ્ટેડ બાય ખેલાડીના રૂપમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યા પર ભારતીય ટીમમાં તક મળી છે. ગાયકવાડે ક્રિકેટ બોર્ડને સુચિત કરી દીધુ છે કે તેમના લગ્ન 3-4 જૂને થશે. ટીમ મેનેજમેન્ટે જાયસવાલને પ્રેક્ટિસ શરૂ કરવા માટે કહ્યું છે. ત્યાં જ અમુક દિવસ ઈંગ્લેન્ડ માટે રવાના થશે. ગાયકવાડે કહ્યું હતું કે તે 5 જૂન બાદ ટીમમાં શામેલ થઈ શકે છે. પરંતુ કોચ રાહુલ દ્રવિડની માંગ પર રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી છે.

#India #Connect Gujarat #BeyondJustNews #BCCI #team #big decision #Test Match #Yashasvi Jaiswal #Entry #WTC final
Latest Stories
Read the Next Article

IND vs PAK WCL: ભારત પોતાના નિર્ણય પર અડગ, પાકિસ્ત...

IND vs PAK WCL: ભારત પોતાના નિર્ણય પર અડગ, પાકિસ્તાન સામે સેમિફાઇનલ નહીં રમે

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હતી. અગાઉ, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો.

New Update
indopdl

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હતી. અગાઉ, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે મંગળવારે યુવરાજ સિંહની આગેવાની હેઠળની ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમે વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે, ભારતે ટુર્નામેન્ટમાંથી ખસી ગયા બાદ પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ભારતીય ટીમે લીગ રાઉન્ડમાં પણ પાકિસ્તાન સાથેની મેચનો બહિષ્કાર કર્યો

સેમિફાઇનલ મેચ 31 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હતી. જોકે, શિખર ધવન, ઇરફાન પઠાણ, હરભજન સિંહ, યુવરાજ સિંહ, સુરેશ રૈના જેવા અનુભવી ખેલાડીઓ ધરાવતી ભારતીય ટીમે આ મેચમાં રમવાનો ઇનકાર કર્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કર્યો હોય. અગાઉ, ભારતે લીગ રાઉન્ડ દરમિયાન પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કર્યો હતો અને રમવાનો ઇનકાર કર્યો હતો. અન્ય સેમિફાઇનલમાં, એબી ડી વિલિયર્સની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમ 31 જુલાઈના રોજ બ્રેટ લીની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટીમ સામે ટકરાશે.

Latest Stories