IND vs AUS: અમદાવાદ ટેસ્ટમાં ભારતની મુશ્કેલી વધી, સ્ટાર બેટ્સમેન ઘાયલ..!

અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

IND vs AUS: અમદાવાદ ટેસ્ટમાં ભારતની મુશ્કેલી વધી, સ્ટાર બેટ્સમેન ઘાયલ..!
New Update

અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે કમરના દુખાવાની ફરિયાદ કરી છે. આ કારણે, તે મેચના ચોથા દિવસે તેના નિશ્ચિત ક્રમ પર બેટિંગ કરવા આવ્યો ન હતો. ભારતની ચોથી વિકેટ પડ્યા બાદ શ્રીકર ભરત શ્રેયસ ઐયરની જગ્યાએ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અય્યરે મેચના ત્રીજા દિવસે જ કમરના દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો. શ્રેયસ હાલમાં BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે.

#injured #batsman #India #Ind VS Aus #Shreyas Iyer #BeyondJustNews #Connect Gujarat #Narendra Modi Stadium #Gujarat #Test Match
Here are a few more articles:
Read the Next Article