જસપ્રીત બુમરાહને BCCIએ "પોલી ઉમરીગર એવોર્ડ"થી કરાયો સન્માનિત

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહે દરેક ફોર્મેટમાં કમાલ કરી બતાવી છે. તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા

New Update
bumrah

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહે દરેક ફોર્મેટમાં કમાલ કરી બતાવી છે. તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મોટા ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યો છે. બુમરાહને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેને પોલી ઉમરીગર એવોર્ડ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈનો નમન એવોર્ડ કાર્યક્રમ ચાલી રહ્યો છે. 

Advertisment

બુમરાહને વર્ષ 2023-24 માટે સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ કારણોસર તેમને પોલી ઉમરીગરના બિરુદથી નવાજવામાં આવ્યા હતા. બુમરાહની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં 205 વિકેટ લીધી છે. તેણે વનડેમાં 149 વિકેટ લીધી છે. બુમરાહે T20 ઈન્ટરનેશનલમાં 89 વિકેટ લીધી છે. તેણે આઈસીસીની મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.  

પોલી ઉમરીગર એવોર્ડ બીસીસીઆઈના સૌથી મોટા ખિતાબની યાદીમાં સામેલ છે. આ એવોર્ડની સાથે BCCI રોકડ પુરસ્કાર પણ આપે છે. ઈન્ડિયા ટુડેના એક સમાચાર અનુસાર, વિજેતા ખેલાડીને આ ખિતાબ માટે 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. તેથી બુમરાહને રોકડ પુરસ્કાર પણ મળશે.

 

Latest Stories