પાકિસ્તાને “વર્લ્ડ કપ-2023”નો બહિષ્કાર કરવો જોઈએ : જાવેદ મિયાંદાદના નિવેદનથી ખળભળાટ..!

આ વર્ષે ભારતમાં વર્લ્ડકપ યોજાવાનો છે, તે પહેલા જાવેદ મિયાંદાદના નિવેદને હલચલ મચાવી દીધી છે.

પાકિસ્તાને “વર્લ્ડ કપ-2023”નો બહિષ્કાર કરવો જોઈએ : જાવેદ મિયાંદાદના નિવેદનથી ખળભળાટ..!
New Update

આ વર્ષે ભારતમાં વર્લ્ડકપ યોજાવાનો છે, તે પહેલા જાવેદ મિયાંદાદના નિવેદને હલચલ મચાવી દીધી છે. જાવેદ મિયાંદાદે કહ્યું કે, પાકિસ્તાને 2023ના ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરવો જોઈએ.

બેટિંગ મહાન જાવેદ મિયાંદાદે ભારત પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, જ્યાં સુધી BCCI તેની ટીમને અહીં મોકલવા માટે સંમત ન થાય ત્યાં સુધી પાકિસ્તાને મેચ રમવા માટે પાડોશી દેશનો પ્રવાસ ન કરવો જોઈએ. મિયાંદાદે આમાં ICC ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની પણ વિનંતી કરી હતી. ICC દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ મુજબ પાકિસ્તાને 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે વર્લ્ડ કપ મેચ રમવાની છે. પરંતુ 66 વર્ષીય પૂર્વ કેપ્ટનનું માનવું છે કે, ભારતે પહેલા પાકિસ્તાનનો પ્રવાસ કરવાની જરૂર છે. મિયાંદાદે કહ્યું, "પાકિસ્તાને 2012 અને 2016માં પણ ભારતની મુલાકાત લીધી હતી. હવે, અહીં આવવાનો ભારતનો વારો છે. જો મારે નિર્ણય લેવો હોય તો હું, ભારત કોઈ મેચ રમવા જઈશ નહીં, ભલે તે વર્લ્ડ કપ જ કેમ ન હોય. અમે હંમેશા ભારત સામે રમવા માટે તૈયાર હતા, પરંતુ તેઓએ ક્યારેય જવાબ આપ્યો ન હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાનીએ વધુમાં કહ્યું, “પાકિસ્તાન ક્રિકેટ મોટું છે. અમે ગુણવત્તાયુક્ત ખેલાડીઓ આપી રહ્યા છીએ. તેથી મને નથી લાગતું કે, જો અમે ભારતનો પ્રવાસ નહીં કરીએ તો અમને કોઈ ફરક પડશે. ભારતે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, જ્યારે એશિયા કપ રમાયો હતો. આ પછી બંને દેશો વચ્ચે સરહદ અને રાજકીય તણાવને કારણે દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. મિયાંદાદ માને છે કે, રમતને રાજકારણ સાથે ન ભળવી જોઈએ. તેણે કહ્યું, “હું હંમેશા કહું છું કે, કોઈ વ્યક્તિ પોતાના પાડોશીને પસંદ કરી શકતો નથી. તેથી આપણે એકબીજા સાથે સમાધાન કરીને જઈએ તો સારું રહેશે. મેં હંમેશા કહ્યું છે કે, ક્રિકેટ એક એવી રમત છે. જે લોકોને એકબીજાની નજીક લાવે છે. તે દેશો વચ્ચેની ગેરસમજને ખતમ કરી શકે છે. મિયાંદાદનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે પાકિસ્તાને એશિયા કપની યજમાની માટે હાઇબ્રિડ મોડલ અપનાવવું પડ્યું. એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે, પરંતુ ભારતીય ટીમ તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. મિયાંદાદને આ વિચાર પસંદ ન આવ્યો. તેણે કહ્યું, "એવું ચોક્કસ લાગતું હતું કે, ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે, તેથી હવે સમય આવી ગયો છે કે, આપણે મજબૂત પગલાં લઈએ."

#World Cup #World Cup 2023 #Former Cricketer #Javed Miandad #Pakistan #Statement #BeyondJustNews #Boycott #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article