Connect Gujarat
સ્પોર્ટ્સ

રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવાનું મુંબઈ ઈન્ડિયન્સને મોંઘુ પડ્યું, ચાહકો થયા ગુસ્સો..!

IPLની 17મી સિઝન માટે 19 ડિસેમ્બરે દુબઈમાં મિની હરાજી યોજાવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે હરાજી પહેલા ફેન્સને મોટો ઝટકો આપ્યો છે.

રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવાનું મુંબઈ ઈન્ડિયન્સને મોંઘુ પડ્યું, ચાહકો થયા ગુસ્સો..!
X

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન માટે 19 ડિસેમ્બરે દુબઈમાં મિની હરાજી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સે હરાજી પહેલા ફેન્સને મોટો ઝટકો આપ્યો છે.

પાંચ વખતની ચેમ્પિયન ટીમના કેપ્ટન રોહિત શર્માને સુકાની પદ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સની ન માત્ર આકરી ટીકા થઈ રહી છે, પરંતુ સાથે જ ટીમ ચાહકોના ગુસ્સાનો પણ શિકાર બની છે.

રોહિતને સુકાની પદ પરથી હટાવ્યા બાદ 1.5 લાખથી વધુ લોકોએ મુંબઈ ઈન્ડિયન્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને અનફોલો કરી દીધું છે. એક તરફ, જ્યારે રોહિત ટીમનો કેપ્ટન હતો ત્યારે તેના 13+ ફોલોઅર્સ હતા. હવે ટીમના 12.9 લાખ ફોલોઅર્સ રહ્યા છે.

આવી સ્થિતિમાં લોકોએ રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવવાનો સંપૂર્ણ વિરોધ કર્યો છે. ચાહકોએ પૂર્વ કેપ્ટન રોહિતનું સંપૂર્ણ સમર્થન કર્યું અને ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ કર્યું. આ સાથે જ ટીમ એક્સ પર રોહિતને કેપ્ટનશિપથી હટાવવાના સમાચાર પણ ટ્રેન્ડ કરી રહ્યા છે.

Next Story