બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ જવા રવાના

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહી છે.

New Update
બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ જવા રવાના

સુરતથી અગિયાર યુવતીઓ બાઈક ઉપર નડાબેટ જવા નીકળી એક રાખી સૈનિકો કે નામ સાથે નીકળી યુવતીઓ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે પહોંચશે મેયરે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહી છે. ત્યારે સુરતની અગિયાર યુવતીઓ બાઈક ઉપર નડાબેટ જવા નીકળી છે અને એક રાખી સૈનિકો કે નામ સાથે નીકળી હતી. જેને યુવતીઓ ઇ બાઈકર્સ રેલીને સુરત મહાનગર પાલિકા મેયરે ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે યુવતીઓ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે પહોંચવાની છે સાથે રસ્તામાં આવતા ગામો અને શહેરોમાં હર ઘર તિરંગાના ભાગરૂપે તિરંગાનું વિતરણ પણ કરશે અને દેશની સરહદની રક્ષા કરતા સૈનિકો સાથે અનોખી ઉજવણી કરશે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories