સુરત : નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ,શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકે તે માટે ભગીરથ કાર્ય ઉપાડ્યું

શિક્ષકો શાળામાં ભણાવવાની સાથે-સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈ, હાથમાં માઈક અને પેમ્ફલેટ લઈને શ્રમજીવી પરિવારના લોકોને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવા માટે જાગૃત કરી રહ્યા છે.

New Update
  • સરકારી શાળાના શિક્ષકોનું ભગીરથ કાર્ય

  • શ્રમજીવી પરિવારના બાળકો માટે લીધું પગલું

  • ભણીને આત્મનિર્ભર બની શકે તે માટેના પ્રયત્નો

  • શિક્ષકો કરી રહ્યા છે પ્રશંસનીય કાર્ય 

  • શ્રમજીવી પરિવારના લોકોને કરી રહ્યા છે જાગૃત

  • માઈક અને પેમ્ફલેટ સાથે કરી રહ્યા છે પ્રચાર

  • બાળકોને સરકારી શાળામાં મોકલવા માટે કરી અપીલ

સુરતના શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકેએ હેતુથી શિક્ષકો જાતે મેદાને ઉતરી આવ્યા છે. આ ભગીરથ કાર્ય સરકારી સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે. શાળામાં ભણાવવાની સાથે-સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈહાથમાં માઈક અને પેમ્ફલેટ લઈને શ્રમજીવી પરિવારના લોકોને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવા માટે જાગૃત કરી રહ્યા છે.

સુરતમાં કુલ 55 જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે. આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે. આ સુવિધાઓનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકેએ માટે શાળાના આચાર્ય અને શિક્ષકો જાતે હાથમાં માઈક અને સ્પીકર લઈને પ્રચાર માટે નીકળ્યા છે.

સુરતમાં રોજગારી હેતુસર અનેક રાજ્યોમાંથી શ્રમજીવી પરિવારના લોકો આવીને વસવાટ કરે છે.ત્યારે આ બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે આજે શિક્ષણના ક્ષેત્રે એક અનોખું અભિયાન ચાલું છે. અહીંના સરકારી શાળાના શિક્ષકો માત્ર શાળાની ચાર દિવાલ વચ્ચે રહીને ભણાવતા નથીપરંતુ આજે પોતે જ મેદાને ઉતરીમાઈક હાથમાં લઈને શ્રમજીવી વિસ્તારોના ઘરે ઘરે જઈને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના સ્તુત્ય પ્રયાસો કરી રહ્યા છે.

શ્રમજીવી પરિવારના બાળકો ભણી શકે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકેએ મહત્વના હેતુ સાથે સુરતના સરકારી શિક્ષકો દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો અને આચાર્યો દ્વારા શાળામાં નિયમિત રીતે ભણાવવાની સાથે સાથે તેઓ દરરોજ સવારે કે સાંજે શ્રમજીવી વસાહતોમાં જઈ રહ્યા છેજ્યાં તેઓ હાથમાં માઈક અને પેમ્ફલેટ લઈને મરાઠી ભાષામાં જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છે.

સુરતની આ શાળાઓ સરકારી હોવાને કારણે તેમાં તદ્દન મફતમાં શિક્ષણ મળે છેસાથે-સાથે વિદ્યાર્થીઓને યુનિફોર્મપુસ્તકોનાસ્તો (મિડ-ડે મીલ)આરોગ્ય તપાસણીરમતગમતઅને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓની મફત સુવિધાઓ પણ મળી રહે છે.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.