સુરતમાં રોગચાળાએ માથું ઉંચકતા ભાજપના MLAના SMCની કામગીરી સામે પત્રથી ખળભળાટ

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો

New Update

સુરત ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર

ડેન્ગ્યુ અને મલેરિયાનો રોગચાળો અટકાવવા લખ્યો પત્ર

SMCના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી કરી રજૂઆત

રોગચાળાથી મૃત્યુ આંકમાં થઈ રહ્યો છે વધારો

હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી

બ્લડ બેંકમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી

SMCનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોવાના કાનાણીના આક્ષેપ 

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો,જેમાં તેઓએ SMCનું તંત્ર નિંદ્રાઘીન હોવાના આક્ષેપ કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. 
સુરત શહેરમાં મુશળધાર વરસાદની પરિસ્થિતિ બાદ હવે રોગચાળાની ગંભીર બાબત લોકો માટે ચિંતાનું કારણ બની છે.શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો ગ્રાફ વધવાના કારણે હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે જગ્યા પણ મળતી ન હોવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ કર્યા હતા,કુમાર કાનાણીએ એક પત્ર મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સંબોધીને લખ્યો હતો,જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો છે,દર્દીઓ મોતને ભેટી રહ્યા છે,તેમજ દર્દીને જરૂરિયાત સમયે બ્લડ પણ ન મળતું હોવાની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે.મહાનગરપાલિકાનું તંત્ર નિંદ્રાવસ્થામાં છે અને લોકોના આરોગ્ય માટે જરૂરી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,તંત્ર પોતાની નિંદ્રામાંથી જાગીને આળસ ખંખેરી લોકોના સ્વાસ્થ્ય માટે જાગૃત બને અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરે તેવી રજૂઆત કુમાર કાનાણીએ પત્ર દ્વારા કરી હતી.વધુમાં મહાનગરપાલિકાનુ તંત્ર માત્ર એ.સી. ચેમ્બરમાં બેસી કાગળ પર કામગીરી કરવાને બદલે શહેરમાં રોગચાળો તેમજ મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે દવાનો છંટકાવ સહિતની જરૂરી કામગીરી કરે તેવી રજૂઆત પણ કુમાર કાનાણીએ કરી હતી.  
Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.