સુરતમાં રોગચાળાએ માથું ઉંચકતા ભાજપના MLAના SMCની કામગીરી સામે પત્રથી ખળભળાટ

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો

New Update

સુરત ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર

ડેન્ગ્યુ અને મલેરિયાનો રોગચાળો અટકાવવા લખ્યો પત્ર

SMCના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી કરી રજૂઆત

રોગચાળાથી મૃત્યુ આંકમાં થઈ રહ્યો છે વધારો

હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી

બ્લડ બેંકમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી

SMCનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોવાના કાનાણીના આક્ષેપ 

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો,જેમાં તેઓએ SMCનું તંત્ર નિંદ્રાઘીન હોવાના આક્ષેપ કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. 
સુરત શહેરમાં મુશળધાર વરસાદની પરિસ્થિતિ બાદ હવે રોગચાળાની ગંભીર બાબત લોકો માટે ચિંતાનું કારણ બની છે.શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો ગ્રાફ વધવાના કારણે હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે જગ્યા પણ મળતી ન હોવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ કર્યા હતા,કુમાર કાનાણીએ એક પત્ર મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સંબોધીને લખ્યો હતો,જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો છે,દર્દીઓ મોતને ભેટી રહ્યા છે,તેમજ દર્દીને જરૂરિયાત સમયે બ્લડ પણ ન મળતું હોવાની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે.મહાનગરપાલિકાનું તંત્ર નિંદ્રાવસ્થામાં છે અને લોકોના આરોગ્ય માટે જરૂરી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,તંત્ર પોતાની નિંદ્રામાંથી જાગીને આળસ ખંખેરી લોકોના સ્વાસ્થ્ય માટે જાગૃત બને અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરે તેવી રજૂઆત કુમાર કાનાણીએ પત્ર દ્વારા કરી હતી.વધુમાં મહાનગરપાલિકાનુ તંત્ર માત્ર એ.સી. ચેમ્બરમાં બેસી કાગળ પર કામગીરી કરવાને બદલે શહેરમાં રોગચાળો તેમજ મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે દવાનો છંટકાવ સહિતની જરૂરી કામગીરી કરે તેવી રજૂઆત પણ કુમાર કાનાણીએ કરી હતી.  
Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.