New Update
સુરત ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર
ડેન્ગ્યુ અને મલેરિયાનો રોગચાળો અટકાવવા લખ્યો પત્ર
SMCના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી કરી રજૂઆત
રોગચાળાથી મૃત્યુ આંકમાં થઈ રહ્યો છે વધારો
હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી
બ્લડ બેંકમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી
SMCનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોવાના કાનાણીના આક્ષેપ
સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો,જેમાં તેઓએ SMCનું તંત્ર નિંદ્રાઘીન હોવાના આક્ષેપ કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.
સુરત શહેરમાં મુશળધાર વરસાદની પરિસ્થિતિ બાદ હવે રોગચાળાની ગંભીર બાબત લોકો માટે ચિંતાનું કારણ બની છે.શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો ગ્રાફ વધવાના કારણે હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે જગ્યા પણ મળતી ન હોવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ કર્યા હતા,કુમાર કાનાણીએ એક પત્ર મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સંબોધીને લખ્યો હતો,જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો છે,દર્દીઓ મોતને ભેટી રહ્યા છે,તેમજ દર્દીને જરૂરિયાત સમયે બ્લડ પણ ન મળતું હોવાની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે.મહાનગરપાલિકાનું તંત્ર નિંદ્રાવસ્થામાં છે અને લોકોના આરોગ્ય માટે જરૂરી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,તંત્ર પોતાની નિંદ્રામાંથી જાગીને આળસ ખંખેરી લોકોના સ્વાસ્થ્ય માટે જાગૃત બને અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરે તેવી રજૂઆત કુમાર કાનાણીએ પત્ર દ્વારા કરી હતી.વધુમાં મહાનગરપાલિકાનુ તંત્ર માત્ર એ.સી. ચેમ્બરમાં બેસી કાગળ પર કામગીરી કરવાને બદલે શહેરમાં રોગચાળો તેમજ મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે દવાનો છંટકાવ સહિતની જરૂરી કામગીરી કરે તેવી રજૂઆત પણ કુમાર કાનાણીએ કરી હતી.