ગાયને પોતાનું ધન માનતા સુરતના જીવદયા પ્રેમીઓએ ધન તેરસ નિમિત્તે ગૌ પૂજન થકી અનોખી રીતે ઉજવણી કરી...

ગાયને પોતાનું ધન માનતા સુરત શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા ધન તેરસના પાવન અવસરે ગૌ પૂજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

author-image
By Connect Gujarat Desk
New Update

ધન તેરસ નિમિત્તે લોકો દેયરા ધન અને ચોપડાનું પૂજન

પરંપરા મુજબ ધન તેરસે ગૌ પૂજનનું પણ અનેરું મહત્વ

ગાયને પોતાનું ધન માનતા સુરતના જીવદયા પ્રેમીઓ

જીવદયા પ્રેમીઓએ ગૌ પૂજન થકી કરી વિશેષ ઉજવણી

ગાય માટેરખડતા ઢોર” ઉચ્ચારણ અયોગ્ય : જીવદયા પ્રેમી

ગાયને પોતાનું ધન માનતા સુરત શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા ધન તેરસના પાવન અવસરે ગૌ પૂજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સમુદ્રમંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. આથી આ દિવસને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે. ધન તેરસના પાવન અવસરે લોકો ધન તેમજ ચોપડાનું પૂજન કરતા હોય છેત્યારે જૂની પરંપરા મુજબ ધન તેરસના દિવસે ગૌ પૂજનનું પણ અનેરું મહત્વ રહ્યું છે. અગાઉના વર્ષોમાં ગાય આધારિત ખેતી હતી. જેને લઈને લોકો ગાયને પોતાનું ધન માનતા હતાઅને ધન તેરસના દિવસે ગૌ પૂજન કરતા હતાત્યારે સુરતના પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ નીતિન ભજીયાવાલાએ આ પરંપરા વર્ષોથી જાળવી રાખી છે. તેઓએ પોતાના પરિવાર સાથે ગૌ પૂજન કરી લોકોને પણ ગાયનું મહત્વ સમજાવ્યું હતું. તો બીજી તરફરાજસ્થાન સરકારે ગાય બાબતે અપમાનજનક શબ્દ નહીં ઉચ્ચારવાનો જે નિર્ણય કર્યો છેતેને પણ તેઓએ યોગ્ય ઠેરવ્યો હતો. જે રીતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને રેસીડેન્સીયલ ઝોન હોય છેતે રીતે સરકાર ગાય માટે પણ એક ઝોન બહાર પાડે તેવી માંગણી કરી હતી. ગાય માટે રખડતા ઢોરના શબ્દનું ઉચ્ચારણ અયોગ્ય છેતેવું પણ નીતિન ભજીયાવાલાએ જણાવ્યું હતું.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.