સુરતમાં પૂર્વ મેયર સસરા અને કોર્પોરેટર વહુની એકબીજા પર આક્ષેપ બાજીથી રાજકારણ ગરમાયુ

સુરતના રાજકારણમાં પૂર્વ મેયર મોટા સસરા અને કોર્પોરેટર વહુ દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપ બાજી કરવામાં આવી છે,જે મુદ્દો શહેરના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

New Update

સુરતના રાજકારણમાં પૂર્વ મેયર મોટા સસરા અને કોર્પોરેટર વહુ દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપ બાજી કરવામાં આવી છે,જે મુદ્દોશહેરના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

સુરતનાઅશ્વિનીકુમાર ફુલપાડામાંઆવેલ મકાનનાંમુદ્દાએપરિવાર અને રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે.સુરતના મહાનગર પાલિકાના પૂર્વ મેયર ચીમનલાલ પહેલદ્વારા પોતાનાપરિવારની કોર્પોરેટર વહુ નિરાલી પટેલ સામે જ રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ કર્યા છે.તેમનેઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે નિરાલી પટેલેઅશ્વિનીકુમાર ફુલપાડામાંજર્જરિત મકાનને લઈને નોટિસ પાઠવવામાં આવી હતી,જે નોટિસને રફેદફે કરવા માટે નિરાલી પટેલે રૂપિયા લાખની માંગણી કરી હોવાના તેઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો.

જયારેઆમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા સુરતના કોર્પોરેટર નિરાલી પટેલે તેઓનામોટા સસરા દ્વારા કરવામાં આવેલા લાખ રૂપિયાની માંગણીનાઆક્ષેપને રદિયો આપ્યો હતો,અને જણાવ્યું હતું કે પારિવારિક મામલાને સસરા રાજકારણનો મુદ્દો બનાવીને ખોટા આક્ષેપ કરી રહ્યાછે.વધુમાં સસરાસહિત 6 ભાઈઓને નોટિસ આપવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.