સુરતમાં પૂર્વ મેયર સસરા અને કોર્પોરેટર વહુની એકબીજા પર આક્ષેપ બાજીથી રાજકારણ ગરમાયુ

સુરતના રાજકારણમાં પૂર્વ મેયર મોટા સસરા અને કોર્પોરેટર વહુ દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપ બાજી કરવામાં આવી છે,જે મુદ્દો શહેરના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

New Update

સુરતના રાજકારણમાં પૂર્વ મેયર મોટા સસરા અને કોર્પોરેટર વહુ દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપ બાજી કરવામાં આવી છે,જે મુદ્દોશહેરના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

Advertisment

સુરતનાઅશ્વિનીકુમાર ફુલપાડામાંઆવેલ મકાનનાંમુદ્દાએપરિવાર અને રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે.સુરતના મહાનગર પાલિકાના પૂર્વ મેયર ચીમનલાલ પહેલદ્વારા પોતાનાપરિવારની કોર્પોરેટર વહુ નિરાલી પટેલ સામે જ રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ કર્યા છે.તેમનેઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે નિરાલી પટેલેઅશ્વિનીકુમાર ફુલપાડામાંજર્જરિત મકાનને લઈને નોટિસ પાઠવવામાં આવી હતી,જે નોટિસને રફેદફે કરવા માટે નિરાલી પટેલે રૂપિયા લાખની માંગણી કરી હોવાના તેઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો.

જયારેઆમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા સુરતના કોર્પોરેટર નિરાલી પટેલે તેઓનામોટા સસરા દ્વારા કરવામાં આવેલા લાખ રૂપિયાની માંગણીનાઆક્ષેપને રદિયો આપ્યો હતો,અને જણાવ્યું હતું કે પારિવારિક મામલાને સસરા રાજકારણનો મુદ્દો બનાવીને ખોટા આક્ષેપ કરી રહ્યાછે.વધુમાં સસરાસહિત 6 ભાઈઓને નોટિસ આપવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

Read the Next Article

સુરત : સચિન જીઆઇડીસીમાં સગીર પુત્રએ ચપ્પુના ઘા મારીને પિતાની નિર્મમ હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
  • સચિનGIDCમાં હત્યાનો બનાવ

  • પાલી ગામમાં સગીર પુત્રએ પિતાની કરી હત્યા

  • પુત્રએ ચપ્પુ વડે પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

  • પિતાના અન્ય મહિલા સાથે આડાસંબંધની હતી શંકા

  • પોલીસે હત્યારા સગીરની કરી અટકાયત

Advertisment

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

સુરતના સચિન જીઆઇડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડ અને તેમના આશરે 17 વર્ષીય પુત્ર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો,અને આ બાબત ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી.અને પિતા-પુત્ર વચ્ચે સર્જાયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેના કારણે ઉશ્કેરાયેલા સગીર પુત્રએ જન્મદાતા પિતા પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો,અને પિતા ગંભીર રીતે ઘાયલ થઇને લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા.સર્જાયેલી ઘટનામાં ચેતન રાઠોડનું કરૂણ મોત નીપજ્યું હતું.પિતાના આડાસંબંધની શંકાએ પુત્રે સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.સચિન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.અને પોલીસે સગીર પુત્રની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.