સુરત : પુણામાં કાપડના વેપારી પર ચપ્પુથી હુમલો કરનાર શખ્સની ધરપકડ, પોલીસ ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા..

New Update
  • પુણામાં કાપડના વેપારી પર હુમલાનો મામલો 

  • યુવકે ચપ્પુથી કર્યો હતો જીવલેણ હુમલો 

  • વેપારી યુવકની પત્નીને કરતો હતો મેસેજ 

  • પોલીસે હુમલાખોર યુવકની કરી ધરપકડ 

  • આરોપીનું સરઘસ કાઢીને રિકંસ્ટ્રક્શન કરાયું 

સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવકે કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીવટીવીમાં કેદ થઈ જવા પામી હતી.આ મામલે પુણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. આ સાથે યુવકને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

સુરતના પુણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ-પુણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રૂદ્ર ક્રિએશનના નામે લેલપટ્ટી-કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે. ગત 18 જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી-પુણા લેસપટ્ટીનો માલ લેવા ગયો હતો. જ્યાંથી માલ લઇ મોપેડ પર જવા નીકળતા હિતેશ નકુમે ધસી જઈ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

રસ્તા પર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા હતા. જેમાં મહિલાઓએ હિતેશને પકડી લેતા ઉદયનો બચાવ થયો હતોપણ ગંભીર ઇજા પહોંચી હતી.લોહીલુહાણ ઉદયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને મોબાઈલ જપ્ત કરી તેમાં કરેલા મેસેજની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે. જ્યારે આરોપી હિતેશને સાથે રાખીને મુક્તિધામ સોસાયટીમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રિકન્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા.કાપડ વેપારી હિતેશની પત્નીને મોબાઇલમા મેસેજ કરતો હોવાની રીસ રાખીને હિતેશે હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. 

Read the Next Article

સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિકાર ચિંતાગ્રસ્ત, ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ

અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો

New Update
  • મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો

  • 10થી 15મૂર્તિઓ ખંડિત થતા મૂર્તિકાર વ્યથિત

  • ગણેશજીની મૂર્તિઓની આંગળીઓને નુકસાન

  • 4 મહિનાની મહેનતથી તૈયાર કરાઈ હતી મૂર્તિ

  • ખટોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150થી વધુ ગણપતિની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. મૂર્તિકાર દ્વારા છેલ્લા 4 મહિનાથી અથાક મહેનત કરી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. જોકેઆરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી હતી. આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

મૂર્તિકારનું કહેવું છે કેતેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી. આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા-રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કેજેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છેઅન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલાની જાણ થતા જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.