નવા વર્ષે સુરતમાં મોતનું માતમ.! 4 શ્રમિકો ગૂંગળાઈ જવાથી તડપી તડપીને મોતને ભેટ્યા
BY Connect Gujarat14 Nov 2023 3:27 PM GMT
X
Connect Gujarat14 Nov 2023 3:27 PM GMT
સુરતનાં પલસાણા-કડોદરા રોડ પર આવેલ રાજહંસ ટેક્ષ નામની મિલમાં ગોઝારી ઘટનાં બનવા પામી છે. મિલમાં આવેલ ટાંકી સાફ કરવા માટે ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા.
ત્યારે થોડા સમય બાદ ગુંગળાઈ જતા ચારેય શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. જે બાદ આ મામલે કામરેજ ઈઆરસી ફાયર અને બારડોલી ફાયરને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડનાં જવાનો ઘટનાં સ્થળે પહોચી ટાંકામાંથી મૃતદેહ બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.
Next Story