સુરત : દિવાળીના તહેવારો નિમિત્તે પુણા પોલીસે ગરીબોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી...

સુરત શહેરની પુણાગામ પોલીસે સેન્ટર હોમમાં રહેતા તેમજ આસપાસના વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી પોલીસની સરાહનીય કામગીરીને લોકોએ પણ ખૂબ બિરદાવી

New Update
  • દિવાળીના તહેવારો નિમિત્તે પુણા પોલીસનું આયોજન

  • પુણા પોલીસ દ્વારા કરવામાં આવી સરાહનીય કામગીરી

  • સેન્ટર હોમ-ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન કરાવ્યુ

  • ગરીબોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી

  • નગરજનોએ પણ પોલીસની કામગીરીને ખૂબ બિરદાવી

દિવાળી તેમજ નવા વર્ષના તહેવારો નિમિત્તે સુરત શહેર પોલીસે ગરીબોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી હતી. હાલ ચાલી રહેલા દિવાળીના તહેવારોમાં લોકો જરૂરિયાતમંદોને દાન કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છેત્યારે સુરત શહેરની પુણાગામ પોલીસે સેન્ટર હોમમાં રહેતા તેમજ આસપાસના વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી હતી. પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરીને લોકોએ પણ ખૂબ બિરદાવી હતી.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.