સુરત : મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણીથી યુવકના મોત બાદ ફફડાટ,મનપા સામે સ્થાનિકોમાં આક્રોશ

દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે, મનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા

New Update
  • મહારાણા પ્રતાપ સોસાયટીની ચકચારી ઘટના

  • મનપાનાં ગંદા પાણીને લઈને લોકો પડ્યા બીમાર

  • દૂષિત પાણીએ 22 વર્ષીય યુવકનો લીધો ભોગ

  • 250 જેટલા ઘરોમાં દૂષિત પાણી પહોંચ્યા

  • મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે બે દિવસ અગાઉ દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છેમનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા છે.

સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર-3માં રહેતા જયેશ સીરસાગર નામના યુવકની તબિયત લથડી હતી. રાત્રિના સમયે યુવકની તબિયત લથડતા તેને 10થી 12 વખત ઝાડા-ઉલટી થયા હતા. તેમની માતા સાથે તેઓ રહેતા હતા. સવારે હોસ્પિટલમાં લઈ ગયા તો ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દૂષિત પાણી પીવાના કારણે તેમનું મોત થયું છે. આ સોસાયટીના અન્ય લોકો પણ દૂષિત પાણીના કારણે ડાયેરિયાની બીમારીમાં સપડાયા હોવાનું બહાર આવ્યું છે.

દૂષિત પાણીથી જયેશના મોત બાદ મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે,અને આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં જરૂરી તપાસ કરવામાં આવી હતી,અને દુષિત પાણી તેમજ ખોરાકથી બચવા માટે શું કાળજી લેવી જોઈએ તે માટે બેનરો લગાવીને સંતોષ માન્યો હતો.

દુષિત પાણીથી સર્જાયેલી પરિસ્થિતિથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે,તેમજ મહાનગરપાલિકા દ્વારા દુષિત પાણીના નમૂના લેવામાં આવ્યા હતા,અને મનપાને પાણીમાં કોઈ જ ખામી નજર પડી નહોવાનું સ્થાનિક રહીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું.અને દુષિત પાણીનું મનપા દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.