સુરત : મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણીથી યુવકના મોત બાદ ફફડાટ,મનપા સામે સ્થાનિકોમાં આક્રોશ

દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે, મનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા

New Update
  • મહારાણા પ્રતાપ સોસાયટીની ચકચારી ઘટના

  • મનપાનાં ગંદા પાણીને લઈને લોકો પડ્યા બીમાર

  • દૂષિત પાણીએ 22 વર્ષીય યુવકનો લીધો ભોગ

  • 250 જેટલા ઘરોમાં દૂષિત પાણી પહોંચ્યા

  • મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે બે દિવસ અગાઉ દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાંICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છેમનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા છે.

સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર-3માં રહેતા જયેશ સીરસાગર નામના યુવકની તબિયત લથડી હતી. રાત્રિના સમયે યુવકની તબિયત લથડતા તેને 10થી 12 વખત ઝાડા-ઉલટી થયા હતા. તેમની માતા સાથે તેઓ રહેતા હતા. સવારે હોસ્પિટલમાં લઈ ગયા તો ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દૂષિત પાણી પીવાના કારણે તેમનું મોત થયું છે. આ સોસાયટીના અન્ય લોકો પણ દૂષિત પાણીના કારણે ડાયેરિયાની બીમારીમાં સપડાયા હોવાનું બહાર આવ્યું છે.

દૂષિત પાણીથી જયેશના મોત બાદ મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે,અને આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં જરૂરી તપાસ કરવામાં આવી હતી,અને દુષિત પાણી તેમજ ખોરાકથી બચવા માટે શું કાળજી લેવી જોઈએ તે માટે બેનરો લગાવીને સંતોષ માન્યો હતો.

દુષિત પાણીથી સર્જાયેલી પરિસ્થિતિથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે,તેમજ મહાનગરપાલિકા દ્વારા દુષિત પાણીના નમૂના લેવામાં આવ્યા હતા,અને મનપાને પાણીમાં કોઈ જ ખામી નજર પડી નહોવાનું સ્થાનિક રહીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું.અને દુષિત પાણીનું મનપા દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.