ગૌ માંસના ખરીદ-વેચાણનો પર્દાફાશ : સુરતના કઠોર ગામે ગૌવંશની કતલ કરતાં 5 ઇસમોની પોલીસે કરી ધરપકડ…

બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા. પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
  • ગૌ માંસના ખરીદ અને વેચાણનો પોલીસે કર્યો પર્દાફાશ

  • કઠોર ગામ ખાતે ગૌવંશની કતલ પર પોલીસના દરોડા

  • 197 કિલો ગૌ માસના જથ્થા સાથે 5 ઇસમોની ઝડપાયા

  • ગૌવંશ કટીંગ કરવાના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત

  • રૂ. 86થી વધુના મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ કરી

સુરતના કઠોર ગામ ખાતે ગૌવંશની કતલ થતી હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી 197 કિલો ગૌ માસના જથ્થા સાથે 5 ઇસમોની ધરપકડ કરી હતી.

ગૌ માંસના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગાયની કતલ કરી તેના માંસનું ખરીદ-વેચાણ થતું રહે છે. કસાઈઓ દ્વારા ગૌ માંસની હેરફેર કરવામાં આવે છે. ગૌ રક્ષકો દ્વારા આવા તત્વોને પકડવામાં આવે છે.ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમોને ઝડપી પાડ્યા છે. કઠોર ગામ ખાતે આવેલ તાળી વાળમાં ગૌવંશનું માસ કટીંગ થતું હતુંત્યારે બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા.

પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખરહીશ શેખસાહિલ પઠાણરસીદ શેખ અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડ્યા હતા. જેમાં અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ પોતાની દુકાનમાં આ ઇસમોને રાખીને કામ કરાવતો હતો.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.