સુરત : ભારત પાકિસ્તાન યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન,એરપોર્ટ,એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો સાથે જ ચેકિંગ પણ કરવામાં આવ્યું

New Update
  • ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિથી તણાવભર્યો માહોલ

  • સુરત રેલવે સ્ટેશનને પણ કરાયું એલર્ટ

  • રેલવે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

  • પોલીસે ડોગ સ્કવોર્ડ સાથે કર્યું ચેકીંગ

  • CCTV થી રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રખાઈ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે સુરત રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઇન્ટસીસીટીવી અને ડોગ સ્કોડથી ચારે દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તણાવભરી સ્થિતિ છે,ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન,એરપોર્ટ,એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ચેકિંગ પણ કરવામાં આવતું હતું.

દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઈક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે. જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઇ રહી છે,ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસરેલવે પોલીસ ફોર્સએસઓજી અને એલસીબીના 25થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ મોરચા પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે.86 સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર પણ રાખવામાં આવી રહી છે. આ સાથે જ સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નિફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : પ્લેન ક્રેશ અંગે એવિયેશન એક્સપર્ટ દ્વારા વિમાનના ડેમો સાથે અકસ્માતની સંભાવના કરાઈ વ્યક્ત

અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ અકસ્માત અંગે જુદા જુદા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરતમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો

  • એવિયેશન એક્સપર્ટ દ્વારા આપવામાં આવી માહિતી

  • પ્લેન ક્રેશ અંગે વિવિધ શક્યતા કરાઈ વ્યક્ત 

  • વિમાનના ડેમો સાથે આપી માહિતી

  • કોકપીટ અંગે પણ આપી મહત્વપૂર્ણ માહિતી

સુરતના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ અંગેની સંભાવનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.અને વિમાનના ડેમો સાથે અકસ્માત અંગેની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ અકસ્માત અંગે જુદા જુદા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરતમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિમાનના ડેમો સાથે ઘટના કેવી રીતે સર્જાય હોવા અંગેની માહિતી આપવામાં આવી હતી. અને જુદી જુદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.જેમાં ફ્યુલ સપ્લાય,પ્લેનમાં પાવર સપ્લાય બંધ થયા હોવાની શકયતાઓને વ્યક્ત કરવામાં આવી હતી,આ ઉપરાંત પાયલોટના કોકપીટ ફંક્શન અંગેની માહિતી સાથે કોકપીટ સમજાવતો ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો.