સુરત : ભારત પાકિસ્તાન યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન,એરપોર્ટ,એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો સાથે જ ચેકિંગ પણ કરવામાં આવ્યું

New Update
  • ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિથી તણાવભર્યો માહોલ

  • સુરત રેલવે સ્ટેશનને પણ કરાયું એલર્ટ

  • રેલવે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

  • પોલીસે ડોગ સ્કવોર્ડ સાથે કર્યું ચેકીંગ

  • CCTV થી રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રખાઈ

Advertisment

ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે સુરત રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઇન્ટસીસીટીવી અને ડોગ સ્કોડથી ચારે દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તણાવભરી સ્થિતિ છે,ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન,એરપોર્ટ,એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ચેકિંગ પણ કરવામાં આવતું હતું.

દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઈક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે. જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઇ રહી છે,ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસરેલવે પોલીસ ફોર્સએસઓજી અને એલસીબીના 25થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ મોરચા પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે.86 સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર પણ રાખવામાં આવી રહી છે. આ સાથે જ સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નિફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે.

Advertisment
Read the Next Article

ઓછો પગાર-કામનો વધુ બોજ..! : સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોનું રાજીનામું, શાસકો મૂંઝવણમાં...

તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે

New Update
  • મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

  • સ્મીમેર હોસ્પિટલના વધુ 6 તબીબોનું સામૂહિક રાજીનામું

  • ઓછો પગારસાધનોકામનો બોજ બન્યા મુખ્ય કારણો

  • આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો

  • વધુ 6 તબીબોના રાજીનામાથી શાસકો મૂંઝવણમાં મુકાયા

Advertisment

ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ છોડી વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીમાનું આપી દીધું છે.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીનામું આપી દીધું છે. આ તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથીભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. જેના પરિણામેદર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છેઅને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ધરાવતી સ્મીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 તબીબોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેસ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે હાલના તબીબો પર વધુ દબાણ આવે છે. તેમજ દર્દીઓ પર ધ્યાન ન આપતા હોવાની ફરીયાદ પણ ઉઠે છે.

Advertisment